અમદાવાદ બાદ રાજકોટમાં શ્વાને લીધો બાળકનો જીવ

રાજકોટઃ થોડા દિવસો પહેલા અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક પાળતું શ્વાન રોટવિલરે સોસાયટીમાં રમવા આવેલી બાળકીને ફાડી ખાધી હોવાનો કિસ્સો બન્યો હતો ત્યારે રાજકોટમાં ફરી એક બાળક શેરીના શ્વાનોનો શિકાર બન્યો છે.
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ બિઝનેસ કોમ્પ્લેક્સ પાસેની વસાહતમાં રહેતા પરિવારના આયુષ યાદવ નામના પાંચ વર્ષના બાળકને શેરીના પાંચ શ્વાને ઘેરી લીધો હતો અને તેને ફાડી ખાદો હતો. બાળકને રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાની બાળકી પર શ્વાનનો હુમલો, સારવારમાં મોત…
અમદાવાદમાં પાળતું શ્વાને બાળકીને ફાડી ખાધા બાદ ઘરમાં શ્વાન રાખવા બાબતે સરકારે એસઓપી જાહેર કરવાની વાત કરી હતી, પરંતુ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શેરીમાં રખડતાં શ્વાન પણ ભારે આક્રમક બનતા જાય છે ત્યારે આનો પણ કંઈક ઉપાય કરવાની જરૂર છે.