રાજકોટ

અપ્રમાણસર મિલ્કતના કેસમાં સાગઠીયા સામે 800 પાનાંની ચાર્જશીટ

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડના કેસમાં તપાસ દરમિયાન ફરજ પર બેદરકારી દાખવવાના અને ભ્રષ્ટાચાર કરવાના કેસમાં ઝડતી કરવામાં આવેલ મનસુખ સાગઠીયા પાસેથી તપાસ દરમિયાન 28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. જેના કેસમાં આજે કોર્ટમાં 800 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

રાજકોટમાં 28 મેના રોજ TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં 27 લોકોના જીવનો ભોગ લેવાયો છે. ટીઆરપી ગેમઝોનના કેસની તપાસ દરમિયાન મુખ્ય આરોપી સાથે સંકળાયેલ રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફીસર મનસુખ સાગઠીયાની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોપી સાગઠિયા પાસેથી ACBને 28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી.

તપાસમાં મળી આવેલી અપ્રમાણસર મિલકતના કેસની તપાસ દરમિયાન સાગઠીયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી કેસ નોંધાયો. જો કે આ કેસની તપાસમાં સાગઠીયાના પરિવારજનોના નામે વસાવેલી મોટા મિલ્કતો મળી આવી હતી. સાગઠિયાના પરિવારજનોના નામે મિલકત હોય આથી તપાસનો રેલો તેમના સુધી આવે અને ધરપકડ થાય તેવી દહેશતથી બચવા પરિજનોએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો