રાજકોટમાં કોરોનાના 4 નવા કેસ નોંધાયાઃ 30 દર્દી હોમ આઈસોલેશનમાં

રાજકોટઃ રાજકોટ શહેરમાં આજે કોરોનાના 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. નવા નોંધાયેલા કેસમાં 3 મહિલા અને 1 પુરુષ હતો. રાજકોટ શહેરની કુલ કોરોના કેસની સંખ્યા 195 પર પહોંચી હતી. હાલ રાજકોટ શહેરમાં માત્ર 30 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે, અને તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે જિલ્લામાં આજે માત્ર 1 નવો કેસ નોંધાતા હવે 2 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
બુધવારે 8 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજકોટ શહેરમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. શહેરમાં કોરોનાના કેસ ભલે વધી રહ્યા હોય, પરંતુ મોટાભાગના દર્દીઓ સામાન્ય લક્ષણો ધરાવતા હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો કહેર, 912 પોઝીટિવ દર્દી સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતુ બીજું રાજ્ય બન્યું…
હાલ તો રાજકોટમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી . શહેરમાં પૂરતા બેડ, ઓક્સિજન સપ્લાય, અને દવાઓનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત, કોરોના સામેની લડાઈમાં નાગરિકોને સહયોગ આપવા અને સાવચેતીના પગલાં જેમ કે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવું, અને હાથ વારંવાર ધોવા અપીલ કરવામાં આવી હતી. તહેવારો નજીક આવી રહ્યા હોવાથી ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.