પોરબંદરમાં જેટ્ટી પર ઉભેલા વહાણમાં આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે | મુંબઈ સમાચાર
પોરબંદર

પોરબંદરમાં જેટ્ટી પર ઉભેલા વહાણમાં આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

પોરબંદર : ગુજરાતના પોરબંદરમાં જેટ્ટી પર ઉભેલા વહાણમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે વહાણ દરિયામાં હતું. આ વહાણ જામનગરની કંપની એચઆરએમ એન્ડ સન્સનું છે. જેમાં ચોખા અને ખાંડ ભરેલા છે. આ વહાણ પોરબંદરથી સોમાલિયા ના બોસોસો જઈ રહ્યું હતું. જોકે, વહાણમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગ વધતા વહાણને દરિયામાં ખેંચી લેવામાં આવ્યું છે. તેમજ હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ખાંડ અને ચોખાનો જથ્થો બળીને ખાખ

આ વહાણમાં આગ લાગતા તેમાં રહેલા ખાંડ અને ચોખાના જથ્થાને ભારે નુકશાન થયું છે. આગ એટલી વિકરાળ હતું કે તેનો ધુમાડો દુરથી જોવા મળતો હતો. આ આગ કેમ લાગી તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. તેમજ આ વહાણમાં ખાંડ હોવાના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના લીધે ત્યાં હાજર લોકોને આગ ઓલવવાનો મોકો મળ્યો ન હતો. આગમાં ખાંડ અને ચોખાનો જથ્થો બળીને ખાખ થયો હતો.

આપણ વાંચો:  અમદાવાદમાં ઓવરલોડ લક્ઝરી બસે યુવકનો ભોગ લીધો: ઝાડની ડાળ તૂટી પડતા મોત, ચાલક સામે ગુનો દાખલ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button