મોરબી

મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા: ગોપાલક સંસ્કૃતિ અને હિંદુ-મુસ્લિમ એકતાના દર્શન!

મોરબી: અષાઢી બીજનું ખૂબ જ આગવું મહત્વ રહેલું છે. અષાઢી બીજના દિવસે મોરબી ખાતે મચ્છુ માતાજીના પ્રાગટય દિવસની ઉજવણીના ભાગરૂપે પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રા નીકળી છે. તે પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી હતી. માલધારીઓના માતા ગણાતા મચ્છુ માતાજીના મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી.

મળતી વિગતો મોરબી ખાતે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવાણી કરવામાં આવી હતી. ભરવાડ સમાજ તથા રબારી સમાજમાં મચ્છુ માતાજીની વિશેષ આસ્થા રહેલી છે.

આપણ વાંચો: કચ્છી નૂતન વર્ષની ઉજવણી બની ગ્લોબલ : અમેરિકા, ગ્રેટ બ્રિટન,અખાતી દેશો અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અષાઢી બીજ ઉજવાઈ

મચ્છુ માતા માલધારીઓના માતા ગણાય છે અને પશુપાલન કરનારા સમુદાયોમાં મચ્છુ માતાજી પ્રત્યે આસ્થા રહેલી છે. મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ ગણાતા અષાઢી બીજ નિમિતે મોરબીમાં ભવ્ય રથયાત્રા નીકળી હતી. મચ્છુ માતાજીના મંદિરે 6 હજાર ફુગ્ગાનો શણગાર કરાયો હતો. સવારે આરતી અને બપોરે મહાઆરતી કરાઈ હતી.

સવારે મચ્છુ માતાજીની જગ્યાથી રથયાત્રા નીકળી હતી અને શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ હતી. આ રથયાત્રામાં ગોપાલક સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. જેમાં દાંડીયારાસ, હુડો નૃત્ય સાથે રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા મચ્છુ માતાજી મંદિરથી નીકળી સુપર ટોકીઝ, ગ્રીન ચોક, નહેરુ ગેટ થઈ મચ્છુ માતાના મંદિરે પરત ફરી હતી.

આપણ વાંચો: અષાઢી બીજે પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, હજુ પાંચ દિવસ વરસાદી માહોલ…

આ રૂટ દરમિયાન અનેક કલાકારોએ ગીતોની રમઝટ બોલાવી હતી. રથયાત્રામાં ભરવાડ સમાજ તથા રબારી સમાજના ભાઈઓ, બહેનો તથા યુવાનો તથા વૃધ્ધ સૌએ માતાજીના દર્શન કર્યા હતા. રથયાત્રા દરમિયાન હિંદુ-મુસ્લિમ એકતાના દર્શન પણ થયા હતા.

આ રથયાત્રામાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ડીવાયએસપી પી. એ. ઝાલા, 5 પીઆઈ, 16 પીએસઆઈ સહીત 300 જેટલાં પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા હતા. વ્યવસ્થામાં મહાનગરપાલિકાની ટીમ પણ જોડાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button