જૂનાગઢટોપ ન્યૂઝ

કમોસમી વરસાદે બગાડી તાલાલા કેસરની મીઠાશ, એક્સપોર્ટમાં થયો તોતિંગ ઘટાડો…

500 ટન એક્સપોર્ટના બદલે માત્ર 100 ટન જ એક્સપોર્ટ થઈ

જુનાગઢઃ ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા ગીર વિસ્તારની કેસર કરી સમગ્ર વિશ્વમાં તેની મીઠાશના કારણે જાણીતી છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે તેની મીઠાશ પર અસર થઈ છે. તાલાલાની કેસર કેરી વિદેશમાં મોટા પાયે એક્સપોર્ટ થાય છે.

કેટલા ટન એક્સપોર્ટ થઈ
એક્સપોર્ટ થનારી કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન પણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદની અસરથી આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2015-16થી 2020 સુધી દર વર્ષે 450થી 500 ટન કેસર કેરીની નિકાસ થતી હતી. જે આ વર્ષે ઘટીને માત્ર 100 ટન જેટલી જ રહેવાનો અંદાજ છે. કમોસમી વરસાદની અસર કેસર કેરીની ક્વોલિટી બગડી છે.

એક્સપોર્ટરના જણાવ્યા મુજબ, આ વર્ષે કાર્ગોનું ભાડું ઘટ્યું છે. યુકેમાં ગત વર્ષે પ્રતિ કિલોનો ફ્લાઇટ રેટ 290 રૂપિયાથી ઘટીને 207 રૂપિયા થયો છે. પરંતુ કેરીની ગુણવત્તા જળવાઈ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 40-45 ટનની માગ હોવા છતાં, મુંબઈના રેડિયેશન પ્લાન્ટ બંધ હોવાથી નિકાસ અટકી ગઈ છે.

5 દિવસની સીઝન માત્ર 25 દિવસ જ ચાલી
આ વર્ષે કેરીની નિકાસની સીઝન માત્ર 20-25 દિવસ જ ચાલી હતી. તાલાલા ગીરની કેસર કેરીની નિકાસની સીઝન સામાન્ય રીતે 60-65 દિવસ ચાલે છે. પરંતુ આ વર્ષે માત્ર 20-25 દિવસ જ ચાલી છે. હવે 1 જૂનથી 15 જૂન સુધી કચ્છની કેસર કેરીનું એક્સપોર્ટિંગ ચાલુ છે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર અને ચીનમાં પણ નિકાસ પ્રભાવિત થઈ છે. સાથે સાથે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો વેપાર ઘટ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાલાલા ગીરની જમીન અને આબોહવા કેસર કેરીના ઉત્પાદન માટે ખૂબ અનુકૂળ છે, જેના કારણે અહીંની કેરીનો સ્વાદ અને સુગંધ અન્ય વિસ્તારની કેરીઓ કરતાં અલગ પડે છે. મુખ્યત્વે જૂનાગઢ જિલ્લામાં આ કેરીનું વાવેતર થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button