વેકેશન પૂરું! ગીરમાં સિંહ દર્શન એક અઠવાડિયું વહેલા શરૂ થશે, જાણો શું છે કારણ? | મુંબઈ સમાચાર
Top Newsજૂનાગઢ

વેકેશન પૂરું! ગીરમાં સિંહ દર્શન એક અઠવાડિયું વહેલા શરૂ થશે, જાણો શું છે કારણ?

જૂનાગઢ: એશિયાટીક સિંહોના નિવાસસ્થાન એવા ગીર અભ્યારણમાં હવે પ્રવાસીઓને ટૂંક જ સમયમાં સિંહોના દર્શન થશે. કારણ કે નેશનલ પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બંધ રહેતા સાસણગીર સહિતના અભયારણ્યો હવે નિર્ધારિત સમયગાળા કરતા વહેલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર સાસણ ગીરમાં સિંહોનું વેકેશન એક અઠવાડિયું વહેલું પૂર્ણ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનું કારણ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તારીખ 10 અને 11 ઓકટોબરના રોજ મુલાકાત ગુજરાત મુલાકાતે આવવાના છે, ત્યારે તેઓ સાસણ ગીર અને સોમનાથની મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે સિંહ દર્શન એક અઠવાડિયા વહેલા શરૂ થશે.

ત્યારે હવે સાસણ ગીરમાં સિંહોનું વેકેશન એક અઠવાડિયું વહેલું પૂર્ણ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તારીખ 10 અને 11 ઓકટોબરના રોજ મુલાકાત ગુજરાત મુલાકાતે આવવાના છે, ત્યારે તેઓ સાસણ ગીર અને સોમનાથની મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે સિંહ દર્શન એક અઠવાડિયા વહેલા શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે ગીર નેશનલ પાર્કમાં વર્ષાઋતુનો સમયગાળો એ સિંહો માટેનો સંવનન કાળ હોય જેને લઈને જૂન મહિનાથી 4 મહિના માટે નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે, જો કે વનવિભાગના સ્ટાફને જ અંદર જવા દેવાની પરવાનગી આપવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયા પહેલાં જ જંગલ સફારી શરૂ કરવામાં આવશે તેમજ પછી તેનો લાભ પ્રવાસીઓને મળી રહેવાનો છે. ચોમાસામાં વન્ય પ્રાણીઓના પ્રજનન કાળ અને જંગલના રસ્તા પર જઈ શકાય તેમ ન હોવાથી પ્રવાસીઓ માટે પ્રતિબંધ રહે છે.

આ પણ વાંચો…એશિયાઈ સિંહના સંવર્ધન અને ખેડૂતોના હિતમાં નિર્ણય,મંચાણ-મેડા અને પેરાપીટ વોલની સહાયમાં વધારો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button