જૂનાગઢ

સૌરાષ્ટ્રમાં પવનની તેજ ગતિના પરિણામે સતત પાંચમા દિવસે ગિરનાર રોપ-વે સેવા બંધ…

જૂનાગઢ: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ પવનના સૂસવાટા યથાવત છે, જોકે આ પવન વચ્ચે અસહ્ય ઉકળાટનો પણ અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રિના અને વહેલી સવારના સમયે પવનને કારણે ગરમીમાં થોડી રાહત મળે છે, પરંતુ સૂર્યોદય સાથે જ ફરીથી ઉકળાટ શરૂ થઈ જાય છે અને બપોરના સમયે આકરો તાપ અનુભવાય રહ્યો છે.

જૂનાગઢમાં આજે પણ ગિરનાર રોપવે ભારે પવનના કારણે બંધ રહ્યો હતો, જેના કારણે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગિરનાર પર્વત પર છેલ્લા ચાર દિવસથી પવન ફૂંકાઈ રહ્યો છે અને સતત પાંચમા દિવસે પણ ગિરનાર પર્વત પર ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સવારથી રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી.

વેકેશનના અંતિમ દિવસોમાં રોપવેની સફર માણવા આવેલા પ્રવાસીઓ અને યાત્રિકોને રોપવે સેવા બંધ રહેતા પરત ફરવું પડ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button