આસ્થા પર ઘાત! ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી જંગલમાં ફેંકી; સાધુ-સંતોમાં ભયંકર રોષ | મુંબઈ સમાચાર
જૂનાગઢ

આસ્થા પર ઘાત! ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી જંગલમાં ફેંકી; સાધુ-સંતોમાં ભયંકર રોષ

જૂનાગઢ: પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનાર પર્વત પર સાડા પાંચ હજાર પગથિયાંની ઊંચાઈએ આવેલા ગુરુ ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાની અને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. આ ઘટનાના વીડિયો બહાર આવતા સમગ્ર ગુજરાતના સાધુ-સંતો અને ભાવિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

કડક સજાની માંગણી

આ જઘન્ય કૃત્યને સંતોએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. સોમનાથ બાપુ અને ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ સહિતના ધર્મપ્રેમી લોકોએ તંત્ર પાસે માંગણી કરી છે કે આ અપરાધ કરનાર જે કોઈ પણ હોય, તેને બક્ષવામાં ન આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે. આ મામલે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે:

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયએસપી પરમાર, એલસીબી (LCB), અને એસઓજી (SOG) સહિતનો મોટો પોલીસ કાફલો રોપ-વે મારફતે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આપણ વાંચો:  ભુજઃ કચ્છમાં વિતેલા ૨૪ કલાક દરમ્યાન આપઘાત-અકસ્માતની અલગ-અલગ દુર્ઘટનાઓમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button