જામનગર

જામનગરમાં ડિમોલિશનનો વિરોધ કરતાં કોર્પોરેટર રચના નંદાણીયા સહિત 5 લોકોની અટકાયત

જામનગરઃ જામનગરમાં શનિવારે મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જામનગરના સ્વામિનારાયણ નગર અને મધુવન સોસાયટીમાં તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન 10 જેસીબી અને 6 ટ્રેક્ટર સહિત 1 હિટાચી મશીનની મદદથી ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. . .

ડિમોલિશનનો વિરોધ કરનાર નગરસેવક રચના નંદાણીયા સહિત 5 જેટલા લોકોની આજે અટકાયત કરવામાં આવી હતી. જામનગરમાં નદીના પટ્ટમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઈને સ્થાનિકોએ માંગ કરી હતી કે 10 જૂન સુધી આ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી ના કરવામાં આવે. છતાં તંત્ર દ્વારા મે મહિનાના અંતિમ દિવસે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિકોએ આ મામલે કોર્પોરેટરને રજૂઆત કરતા તેમણે પણ તંત્ર સામે આ મામલે થોડો સમય માંગ્યો હતો. તંત્રની કામગીરી દરમિયાન વિરોધ કરી ડિમોલિશનની પ્રક્રિયામાં અવરોધરુપ બનતા કોર્પોરેટર રચના નંદાણીયા સહિત 5 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચોમાસામાં આ વિસ્તારોમાં વરસાદીનો પાણીનો ભરાવો થતા તેના નિકાલ માટે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આમાં કેટલાક ગેરકાયદે દબાણો પણ અડચણરૂપ બનતા હોવાથી મનપાએ શનિવારે સવારે આ દબાણો દૂર કરવા ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.

આપણ વાંચો:  ગુજરાતમાં 17 ડીવાયએસપીને એસપી તરીકે પ્રમોશન, જુઓ લિસ્ટ

આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોને થોડા સમય અગાઉ નોટિસ આપ્યા બાદ જ નદીના પટ્ટમાં થયેલા 330 ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણ દૂર કરી નદીના પટ્ટમાં 3.5 કિમી વિસ્તારમાં 4,51,854 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button