જામનગર

જામનગરમાં ભારે વરસાદથી 49 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : 173 વીજ ફીડર બંધ થયા

જામનગરઃ જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદના કારણે વીજ તંત્રને પણ અસર થઈ હતી. જિલ્લાના 49 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. કુલ 173 વીજ ફીડરો બંધ થયા હતા, જયારે 9 વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા.

જામનગર જિલ્લામાં કુલ 49 ગામમાં પુરવઠો ખોરવાયો હતો. જોકે વીજ તંત્ર દ્વારા 13 ગામમાં રાત્રી દરમિયાન વિજ પુરવઠો શરૂ કરી દેવાયો હતો, જ્યારે બાકીના 36 ગામોમાં અત્યારે સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, અને એક પછી એક ગામમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો હતો.

સમગ્ર જિલ્લામાં 1,138 ફીડર પૈકી ફુલ 173 ફીડરમાં પ્રથમ વરસાદમાં જ બંધ થયા હતા જે પૈકીના 21 ફીડર ચાલુ થઈ ગયા હતા, પરંતું બાકીના 152 ફીડર શરૂ કરવા માટે હાલ કામગીરી ચાલી રહી છે. સમગ્ર જિલ્લામાં કુલ 9 વીજપોલ ધરાશાયી થયા હતા, જે પૈકી બે વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 7 વીજ કોલમાં સમારકામ માટેની કાર્યવાહી ચાલી રહી છે. વરસાદથી વીજ તંત્રને રૂપિયા 12 લાખનું નુકસાન થયું હતું.

આ પણ વાંચો….આજે રાજ્યમાં 195 તાલુકામાં વરસાદ, બરવાળામાં સૌથી વધુ 7 ઈંચ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button