ગોંડલમાં કરંટ લાગતાં પીજીવીસીએલના બે વીજ કર્મચારીના કરૂણ મોત

ગોંડલઃ ગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા. બંને યુવા કર્મચારીઓના મોતથી શોકનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી અનુસાર પીજીવીસીએલ દ્વારા છેલ્લા ચાર દિવસથી શ્રીહરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આ કામમાં 25 જેટલા કર્મચારીઓ જોતરાયેલા હતા, ત્યારે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઇ જતાં ભગવાનસિંગ રામલાલ ભીલ (ઉ.વ.22) અને સુરજકુમાર બનેસિંગ ભીલ (ઉં.વ.20)ને કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બે યુવાનો જીવ ગુમાવી ચૂક્યા હતા. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. બીજી તરફ વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને ગંભીર સવાલો ઉભા થયા હતા.
આપણ વાંચો: એલર્ટઃ ચાંદીપુરા વાયરસ માટે ICMRની ટીમ ગુજરાતમાં, જાણો લક્ષણો અને સાવચેતી