અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં જેલમાં સરેન્ડર કરવું પડશે

ગોંડલ: ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરૂદ્ધસિંહ જાડેજાને એક સપ્તાહની રાહત આપવામાં આવી હતી, તે પરત ખેંચી લેવામાં આવતા હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ હવે આજે રાતે આઠ વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડશે.
મળતી વિગતો અનુસાર, ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની જાહેરમાં હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરૂદ્ધસિંહ જાડેજાના આત્મસમર્પણના આદેશમાં એક સપ્તાહનો સ્ટે આપીને રાહત આપી હતી.
પરંતુ આજે 19મી સપ્ટેમ્બરના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો હતો. સુપ્રીમ કોર્ટે સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે અનિરુદ્ધસિંહને આપેલી રાહત પરત ખેંચી લીધી હતી. આથી હવે આજે શુક્રવારે રાતે જ 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ રાહત આપવામાં આવી નહોતી. સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન બાદ પણ કોઇ રાહત ન મળતાં અંતે તેમણે સરેન્ડર કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આપણ વાંચો: અમદાવાદ-રાજકોટ હાઈવે પર વિદેશી દારૂનો ટેલર ઝડપાયો, 4500થી વધુ બોટલો સહિત ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત…