ગીર સોમનાથ

સોમનાથના પ્રતિબંધિત ચોપાટી વિસ્તારમાં અજાણ્યા યુવકે દરિયામાં ઝંપલાવતા મોત

ગીર-સોમનાથઃ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ચોપાટી નજીક પ્રતિબંધિત સમુદ્ર વિસ્તારમાં એક અજાણ્યા યુવકનું મોત નિપજ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ સવારે અંદાજે 45 વર્ષીય વ્યક્તિએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું. તેની બાદ ઘટનાની જાણ થતા સ્થાનિક ઘોડેસવાર યુવકોએ તેને સમુદ્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં લોકો એકત્ર થયા હતા.

મૃતક યુવકની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી

જ્યારે બચાવ કામગીરી બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે પ્રભાસ પાટણ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે. આ મૃતક યુવકની ઓળખ મેળવવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.

મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા પર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં આ ઘટના બની છે. પોલીસે આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યાનો પ્રયાસ હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો…વેકશનમાં સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર! 2 મહિનામાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button