ગીર સોમનાથ

Gujarat Tourism: દીવના દરિયામાં ન્હાવા જવાનો પ્લાનિંગ કરતા હો, તો પહેલા આ વાંચી લો

દીવઃ ગુજરાતીઓ વર્ષમાં બે વખત ફરવા જવાનો પ્લાન કરતો હોય છે. ખાસ કરીને દરિયાકાંઠે ફરવા જવાનો પ્લાન વધારે થતા હોય છે. પરંતુ દીવ જતા પ્રવાસીઓ માટે અત્યારે માઠા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ચોમાસામાં ફરવા જવાનું વિચારી રહ્યાં છે તો હમણાં તમારે પ્લાન કેન્સલ કરવો પડશે. કારણ કે, ચોમાસાની ઋતુ દરમિયાન સલામતીના ભાગરૂપે આગાહી ત્રણ મહિના માટે દીવના દરિયામાં સ્નાન કરવા અને નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દરિયામાં કરંટની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પ્રશાસને દરિયામાં કરંટની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 1લી જૂનથી 31મી ઓગસ્ટ સુધી દીવના દરિયામાં સ્નાન કરવા જવા પર અને દરિયાની નજીક જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માઠા સમાચાર એ પણ છે કે, પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર એવા દીવના મશહૂર બીચ પર આ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાંછે. જેથી અત્યારે અહીં ફરવા માટે જવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આપણ વાંચો:  ઓલિવ રિડલે પ્રજાતિના કાચબાના ૧૩ બચ્ચાંને વન વિભાગે સુરક્ષિત રીતે માંડવીના સમુદ્રમાં પરત છોડ્યા

ત્રણ મહિના સુધી પ્રવાસીઓએ દરિયાને દૂરથી જ રહેવું પડશે

મહત્વની એ છે કે, દીવમાં પ્રવાસન પર પ્રતિબંધ નથી. દીવમાં તો તમે મોજથી ફરી શકો છો. પરંતુ માત્ર દરિયાનનું સૌંદર્ય માણવા માટે દરિયાકિનારે જવા પર પ્રતિબંધ નાખી દેવામાં આવ્યો છે. દૂરથી દરિયાની મોજ માણી શકો છો. સ્વાભાવિક છે કે, તંત્ર દ્વારા લોકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ત્રણ મહિના દરમિયાન પ્રવાસીઓએ દરિયાને દૂરથી જ જોઈ શકશે. નોંધનીય છે કે, ભારે વરસાદની આગાહીના કારણે દરિયામાં ભારે કરંટ રહેતો હોય છે. જેથી માછીમારોને પણ દરિયો ના ખેડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button