દ્વારકા

દ્વારકાધીશ મંદિરમાં જલયાત્રા ઉત્સવની ઉજવણી: દર્શનના સમયમાં કરાયો ફેરફાર

દ્વારકા: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને મોક્ષપૂરી દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે 11 જૂન, 2025ના રોજ જેઠ સુદ પૂનમના દિવસે “જ્યેષ્ઠાભિષેક/જલયાત્રા” ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની જાણકારી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર કચેરી દ્વારા સર્વે શ્રદ્ધાળુઓને આપવામાં આવી છે.

દ્વારકાધીશ મંદિર જલયાત્રા

વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરાયેલી વિજ્ઞપ્તિ અનુસાર, જ્યેષ્ઠાભિષેક ઉત્સવના કારણે 11 જૂન, 2025ના રોજ દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે:

સવારે ૦૬:૦૦ વાગ્યે: મંગળા આરતી

સવારે ૦૬:૦૦થી ૦૮:૦૦ વાગ્યે: મંગળા દર્શન

સવારે ૦૮:૦૦થી ૦૯:૦૦ વાગ્યે: શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન (આ દર્શનનું વિશેષ મહત્વ છે કારણ કે વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન થાય છે, અને તે પૈકી જ્યેષ્ઠાભિષેકનું મહત્વ અનેરું છે.)

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં

સવારના અન્ય ક્રમ: નિત્ય ક્રમ મુજબ જ રહેશે.

બપોરે ૦૧:૦૦થી ૦૫:૦૦ વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)

સાંજે ૦૫:૦૦ વાગ્યે: ઉત્થાપન દર્શન

સાંજે ૦૫:૦૦ વાગ્યાથી ૦૯:૩૦ વાગ્યે: જલયાત્રા ઉત્સવ અને અન્ય નિત્ય ક્રમ મુજબ રહેશે.

રાત્રે ૦૯:૩૦ વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)

આ શુભ દિવસે જગતમંદિરમાં ભગવાન શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક કરાવવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશભરમાંથી અનેક વૈષ્ણવો દ્વારકા પધારતા હોય છે. મંદિર વહીવટદાર કચેરીએ સર્વે ભક્તોને આ બદલાયેલા સમય અનુસાર દર્શનનો લાભ લેવા વિનંતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button