દ્વારકાના દરિયામાં તોફાન છતાં માછીમારી: કલેક્ટરના આદેશની અવહેલના…

દ્વારકાઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયા ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. પરંતુ દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે માછીમારો દરિયા ખેડતા જોવા મળ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારે કરંટ વચ્ચે દરિયામાં માછીમારી કરતી એક બોટ જોવા મળી હતી. માછીમારોને દરિયો ન ખેડવા આદેશ કરાયો છે તેમ છતાં પણ આ બોટ દરિયો ખેડતી જોવા મળી હતી. આખરે જો આ કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? શા માટે માછીમારોએ આવી રીતે જીવના જોખમે દરિયો ખેડવા માટે જવું પડ્યું?
ભારે કરંટ વચ્ચે દરિયામાં માછીમારી કરતી 1 બોટ જોવા મળી
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી કે, આગાહી છે ત્યાં સુધી માછીમારો દરિયા ખેડવા માટે ના જાય! પરંતુ માછીમારો દ્વારા જિલ્લા કલેકટરના પરિપત્રનું પાલન કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવું અનિવાર્ય છે, પરંતુ દ્વારકાના માછીમારોએ પોતાની મનમાની કરી છે. અને મનાઈ હોવા છતાં પણ માછીમારી યથાવત રાખી હોવાના દ્રશ્યો જોવા મળ્યાં છે.
આગાહી પ્રમાણે દ્વારકામાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
અત્યારે દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે અને અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયામાં અત્યારે ભારેથી અતિભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી દરિયા કિનારે 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યો છે. તેમ છતાં, આવી સ્થિતિમાં દ્વારકાના દરિયામાં માછીમારો દરિયો ખેડતા જોવા મળ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જિલ્લા કલેક્ટરના આદેશનું પાલન ના કરવા માટે આ માછીમાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.