ભાવનગર

ધોલેરા SIR અને ભાવનગર વચ્ચે રેલ કનેક્ટિવિટી: ફાઇનલ લોકેશન સર્વેનો આરંભ…

ભાવનગર: ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR) અને ભાવનગર વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે રેલવે પ્રશાસન દ્વારા 65 કિમી લાંબી સૂચિત ભાવનગર-ધોલેરા રેલવે લાઇનનો ફાઇનલ લોકેશન સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ધોલેરા SIRના વિકાસને ઝડપી બનાવવાનો અને ભાવનગર પોર્ટનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઓગસ્ટ મહિનામાં ભાવનગરની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને આ લિંક અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આ પ્રોજેક્ટ હેઠળ નવી બ્રોડગેજ લાઇન નાખવા માટે સ્થળ પર ટેકનિકલ સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેમાં અલાઇનમેન્ટની શક્યતાઓ, આવતા અવરોધો અને ઓપરેશનલ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. એકવાર ઓન-સાઇટ લોકેશન સર્વે પૂર્ણ થઈ જાય પછી, તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને રેલવે બોર્ડને સુપરત કરવામાં આવશે. રેલવે બોર્ડ આ રિપોર્ટની તપાસ કરશે અને મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટના આગળના કામો હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો…દેશમાં પ્રથમ વખત સુરતથી આ તારીખે દોડશે બુલેટ ટ્રેન, અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

અમરેલી-ખિજડીયા બ્રોડગેજ કન્વર્ઝન અપડેટ
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે અમરેલી-ખિજડીયા બ્રોડગેજ કન્વર્ઝનનું કામ પણ પૂર્ણતાના આરે છે. આ સાથે મુસાફરોની સુવિધા માટે ભાવનગર ડિવિઝનના 15 રેલવે સ્ટેશનો પર ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના અંતર્ગત પુનઃવિકાસની કામગીરી ચાલી રહી છે. જૂની ભાવનગર-તળાજા-મહુવા રેલવે લાઇનને ફરીથી કાર્યરત કરવા માટે પણ રેલવે દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને તેના માટે વિવિધ પ્લાનિંગ વિકલ્પો પર ચર્ચા ચાલી રહી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button