અમરેલી

અમરેલીમાં પતિએ ગળું દબાવીને પત્નીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

અમરેલીઃ વાંકીયા ગામની સીમમાં વાડીએ રહેતી એક પરપ્રાંતિય પરિણીતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ભાભરા તાલુકાના અમનકુવા કંચનાગલી ફળીયાના રહેવાસી મંગલીયાભાઈ લચ્છુભાઈ વસુનીયા (ઉ.વ.42)એ તેમના જમાઈ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ સંજયભાઇ અનેસિંગભાઇ મોહનીયાએ તેમની દિકરી રેખાબેન (ઉ.વ.20) ઉપર બીજા કોઈ પુરુષ સાથે વાત કરતી હોવાની શંકા વહેમ રાખી ગળું દબાવી મોત નિપજાવ્યું હતું.

બે દિવસ પહેલા 20 વર્ષીય રેખાબેન મોહનીયાનો મૃતદેહ મળ્યો હતો. જેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહ જોતા મૃતકના શરીર પર કેટલાક નિશાન મળી આવ્યા હતા. જેથી લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃતક રેખાના પિતાએ પોતાના જમાઇ સંજય પર શંકા વ્યક્ત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: સૈરાટઃ પ્રેમસંબંધનો વિરોધ કરતા પરિવારે દીકરીના પ્રેમીની કરી કરપીણ હત્યા

પતિએ શું કરી ચોંકાવનારી કબૂલાત

પોલીસે મૃતકના પતિને ઝડપીને પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે, મારી પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકા હતી. જેથી મેં જ મારી પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી છે. તેની આ કબૂલાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે બાદ પોલીસે અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાના આધારે ગળુ દબાવી હત્યા કરી કે પછી અન્ય કારણોસર હત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું હતું કે, હા સાહેબ, મારી પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાથી મેં જ મારી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ ઓ કે જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button