અમરેલીટોપ ન્યૂઝ

BREKING: અમરેલી નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી ચારના મોત; સમગ્ર પંથકમાં શોક

અમરેલી: ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીમાં આજે એક કરુણ ઘટના બની હતી. જેમાં શેત્રુંજી નદીમાં નહાવા પડેલા ચાર યુવાનોનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયા હોવાના અહેવાલ છે.

મળતી વિગતો અનુસાર અમરેલી નજીકના ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીમાં નહાવા પડેલા ચાર યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ અમરેલી તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.

ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. નદી કાંઠેથી યુવાનોના કપડાં મળી આવ્યા હતા, જેના આધારે બાળકો સ્થાનિક વિસ્તારના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર ટીમના સઘન પ્રયાસો બાદ નદીમાંથી ચાર બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હાલ મળી રહેલી વિગતો અનુસાર મૃતકોમાં ભાર્ગવ રમેશભાઈ રાઠોડ (ઉં.વ. 20), નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા (ઉં.વ. 18), કૌશિક મુળજીભાઈ રાઠોડ (ઉં.વ. 21) અને કમલેશ ઉર્ફે સાગર ખોડાભાઈ દાફડાનો (ઉં.વ. 27) સમાવેશ થાય છે.

આ પણ વાંચો ભાવનગરમાં વાઝડી, કરા અને વરસાદે સર્જી તારાજી, અનેક વૃક્ષો ધરાશાયી, વીજળી પડી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button