અમરેલીટોપ ન્યૂઝ

અમરેલી લેટર કાંડઃ જિલ્લા પોલીસ વડાએ શું કરી મોટી કાર્યવાહી? જાણો વિગત…

અમરેલીઃ લેટર કાંડને લઈ (amreli letter kand) જિલ્લા પોલીસ વડા (એસપી) સંજય ખરાત (amreli sp sanjay kharat) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એસપી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ એલસીબીમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસકર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રવિવારે રાજકોટના સાંસદ અને અમરેલી જિલ્લાના વતની પરસોત્તમ રૂપાલાએ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પોલીસે સમગ્ર ઘટનામાં ઘણી ઉતાવળ કરી છે. એસપી દ્વારા કમિટી બનાવવામાં આવી છે, તે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે. કૉંગ્રેસ આ સમગ્ર ઘટનાને અલગ જ દિશામાં લઈ જઈ રહી છે. હાલ નનામો લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયો છે. આ ઉપરાંત રૂપાલાએ કહ્યું, જે થયું તે યોગ્ય નથી અને આવું ન થવું જોઈએ. પોલીસે ઉતાવળ કરી સરઘસ કાઢ્યું તે ન થવું જોઈએ, અમરેલીની પાટીદાર યુવતીના વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા દ્વારા ધરવામાં આવેલા ધરણાને તેમણે વખોડી કાઢ્યા હતા. જે બાદ કહ્યું, હાલ નનામો લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયો છે, જેની જાણ બધાને છે. પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે.

આ પણ વાંચો : અમરેલી લેટર કાંડઃ પોલીસે સમગ્ર ઘટનામાં ઉતાવળ કરી, સાંસદ રૂપાલાનું મોટું નિવેદન

શું છે મામલો

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું હતું. તે પછી આ વિવાદ વકર્યો હતો. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવ્યા હતા અને ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.

200 મહિલાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી હતી. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટેની માગ કરી હતી. તેમજ પોલીસે દીકરીનું સરઘસ કેમ કાઢવા અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરાય તેને લઈને ખુલાસો માગવામાં આવ્યો. તમામ 200 જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button