અમરેલી જિલ્લામાં એક દંપતી સહિત છ લોકોનાં મોત, જાણો વિગતવાર અહેવાલ
પિતાને મળવા જઈ રહેલી પુત્રીનું દાદી સાથે મોત

અમરેલીઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં પ્લેનમાં સવાર મુસાફરો સહિત હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મળીને સેંકડો લોકોના મોત થયા છે, જેમાં 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર્સ પણ હતા.
પ્લેનમાં 128 પુરુષ મુસાફરો અને 114 મહિલા મુસાફરો હતો. પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટિશ નાગરિકો સવાર હતા. આ ઉપરાંત, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝ નાગરિકો હતા. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા.
પતિ પાસે પહોંચતા પહેલા જ પત્નીનું મોત

આ ગોઝારી દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના છ લોકોના પણ મૃત્યુ થયા હતા. અમરેલીની રિદ્ધી પડશાળા (ઉ.વ.28)ના લગ્ન રાજકોટના યુવાન સાથે થયા હતા. મૃતક દોઢ મહિનાથી અમરેલી આવી હતી. તેના પતિ લંડનમાં રહે છે. પતિ પાસે જતી વખતે બનેલી દુર્ઘટનામાં તેનું મોત થયું હતું. તેના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુનીલ તટકરેના સંબંધી અપર્ણા મહાડિક ઘાયલ
પત્નીના મોત પછી પતિનું મોત
વડીયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળીયા એર ઈન્ડિયાની ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા. તેમના પત્નીને કેન્સર હતું અને થોડા દિવસ પહેલા લંડનમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
પત્નીના અવસાન બાદ વતનમાં કેટલીક વિધિ અને ફૂલ પધરાવા માટે આવ્યા હતા. તેમની બંને દીકરી લંડન રહે છે. લંડનના ગ્રુપમાં તેમણે I am Comingનો મેસેજ પણ લખ્યો હતો. વતનમાં તેઓ પત્નીની ધાર્મિક વિધિ પતાવીને લંડન જતા હતા ત્યારે આ દુર્ઘટનામાં તેમના મોત થયું હતું.
આપણ વાંચો: અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના: અનેક ઈન્ટર્ન ડોક્ટરના મોતની આશંકા
દાદી-પૌત્રીનું મોત
અમરેલીના વડીયાના તોરી-રામપુર ગામના અને હાલ અમદાવાદ રહેતા કાંતાબેન ધીરૂભાઈ પાઘડાળ (ઉ.વ.70) પુત્રને મળવા જતા હતા. તેમની સાથે તેમની પૌત્રી નવ્યા પાઘડાળ (ઉ.વ.6) પણ હતી.
પ્લેન ક્રેશમાં દંપતીનું મોત

મૂળ અમરેલીના હાલ અમદાવાદમાં રહેતા બાબુબાઈ હીરપરા અને તેમના પત્ની વિમળાબેન બાબુભાઈ હીરપરા લંડન તેમના પુત્રને મળવા જતા હતા. પ્લેન ક્રેશમાં તેમનું અવસાન થતાં પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો