આપણું ગુજરાત

હૃદયને લગતી બીમારી હોય તો પ્રવેશ બંધીઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્પોર્ટ્સ કૉમ્પ્લેકસમાં લગાવ્યા બેનર

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, હોસ્પિટલોમાં હૃદયને લગતી બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ જુદી જુદી રમતોના મેદાનમાં બેનર લગાવી દીધા છે જેમાં સૂચના અપાઈ છે કે જે વ્યક્તિ કે ખેલાડીને હૃદયને લગતી બીમારી હોય તો તેમને પ્રવેશ નહીં મળે. આ ઉપરાંત જે ખલાડીઓ જુદી જુદી રમતો રમવા આવશે તેમણે પણ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીએ પગપેસારો કર્યો છે. શિયાળાની ઋતુમાં હૃદય સંબંધિત સમસ્યાઓનું પ્રમાણ પણ વધવાની સંભાવનાઓ વધારે હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સાવચેતીના ભાગરૂપે બેનર લગાવી દીધા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો.હરિશ રૂપારેલિયાની સૂચનાથી લગાવાયેલા બેનરમાં લખાયું છે કે, સ્વિમિંગ પૂલમાં શીખાવ વ્યક્તિએ લાઈફ જેકેટ તથા જરૂરી સેફ્ટી ઇક્વિપમેન્ટ પહેરીને જ સ્વિમિંગ કરવું.


જો કોઈ સભ્યને હૃદયને લગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવી વ્યક્તિએ સ્વિમિંગ કરવું નહીં. ફિટનેસ અંગેનું ડોક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ સ્વિમિંગ કરવું નહીતર સંબંધિત વ્યક્તિની જવાબદારી રહેશે. સ્વિમિંગ પૂલ પર કોચ કોઇપણ કારણસર હાજર ન હોય તો તેવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિએ સ્વિમિંગ કરવું નહીં.


થોડા દિવસો પહેલા અહીંના સ્વિમિંગ પુલમાં એક મહિલાની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે ખસડેવી પડી હતી. આ અંગે યુનિવર્સિટીના સૂત્રો સાથે વતચીત થઈ શકી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…