આપણું ગુજરાત

કોંગ્રેસમાં ‘ઘોડા’ના રાજકારણનો વિવાદ: રાહુલ ગાંધીના નિવેદન પર અર્જુન મોઢવાડિયાએ માર્યો ટોણો…

અમદાવાદ: અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન કોંગ્રેસને પુનઃ જાગૃત કરવા માટે રાહુલ ગાંધીએ ‘ઘોડા’નું ઉદાહરણ આપ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘ઘોડા’ સંબંધિત નિવેદનો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને આ વખતે પાર્ટીના જ પૂર્વ નેતાએ તેના પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ હાલમાં મધ્ય પ્રદેશમાં ફરીથી ઘોડાનું નિવેદન આપ્યું હતું.

મળતી વિગતો અનુસાર એક પત્રકારે ટ્વિટર પર લખ્યું હતું કે રાહુલ ગાંધી અત્યાર સુધી તેમના ભાષણોમાં “એક રેસનો ઘોડો હોય છે અને એક વરઘોડાનો. કોંગ્રેસ અવારનવાર વરઘોડાના ઘોડાને રેસમાં ઊભો કરી દે છે” તેવું કહેતા હતા. જોકે, આજે મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “એક ત્રીજો લંગડો ઘોડો પણ હોય છે. તેને રિટાયર કરવો છે. લંગડો ઘોડો જો નહીં માને તો કાર્યવાહી કરવી પડશે.” પત્રકારે સવાલ ઉઠાવ્યો કે શું ‘લંગડો ઘોડો’ ત્યાં જ હાજર હતો.

અર્જુન મોઢવાડિયાનો રાહુલ ગાંધીને ટોણો
આ ટ્વીટને રીશેર કરતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને ટોણો માર્યો છે. તેમણે લખ્યું કે, “હું 2014માં ગુજરાત કોંગ્રેસનો અધ્યક્ષ હતો, તે સમયે રાહુલ ગાંધીએ રાજકોટના કાર્યકર્તાઓની મીટિંગમાં ‘રેસનો ઘોડો અને વરઘોડાના ઘોડા’ વાળું ભાષણ આપ્યું હતું. તે જ મુદ્દો તેઓ આજે પણ દરેક ભાષણમાં રિપીટ કરતા રહ્યા છે.”

અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને ટોણો મારતા કહ્યું લખ્યું કે, “આટલા વર્ષો પછી પણ રેસના ઘોડાની ઓળખ થઈ શકી નથી! આનો મતલબ છે કે ઘોડેસવારને જ ઘોડાની ઓળખ નથી અને હારતી વખતે ઘોડાને કોસતા રહે છે!” તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “કોઈ પણ પાર્ટી હોય, કાર્યકર્તાને ‘બારાતનો ઘોડો’ કે ‘લંગડો ઘોડો’ કહેવું એક અપમાનજનક ટિપ્પણી છે.”

આપણ વાંચો : ગુજરાત પેટાચૂંટણી: કડી અને વિસાવદર બેઠક પર ભાજપના 40 દિગ્ગજ નેતા પ્રચાર કરશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button