રાજકોટ ખાતે કોંગ્રેસના મુખ્ય એકાઉન્ટ ફ્રીજ કરતા NSUI દ્વારા વિરોધ
![Protest by NSUI freezing main account of Congress at Rajkot](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/Rajkot-2.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાતા NSUI દ્વારા આજરોજ રાજકોટ ખાતે કિસાનપરા ચોકમાં ના રેબાજી કરી અને રસ્તા રોકો આંદોલન દ્વારા ભારતીય જનતા પક્ષની રિતીનીતીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
એને સિવાય નેતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોઈ કારણ વગર ભારતીય જનતા પક્ષ સરકારી એજન્સીઓ ઇડી ઇન્કમટેક્સ સીબીઆઈ નો દૂર ઉપયોગ કરે છે. અને કોંગ્રેસના મુખ્ય ખાતાઓ ફ્રીઝ કરી અને સરમુખત્યારશાહી દર્શાવી રહી છે. એન.એસ.યુઆઈએ એ પણ આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસના મોટા નેતાઓને સતાં પક્ષ ભાજપ દ્વારા સરકારી એજન્સીને હાથો બનાવી તપાસના નામે હેરાન કરવામાં આવે છે.આ મુદ્દે NSUI દ્વારા રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો હતો.
વિરોધ પ્રદર્શન બાદ એન એસ યુ આઈ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
આંદોલન દરમિયાન એક વાત ઉડીને આંખે વળગી હતી કે ભારતીય જનતા પક્ષ જો કોઈનો વિરોધ કરે તો બહુ બોળી સંખ્યામાં લોકો એ વિરોધમાં જોડાય જ્યારે કોંગ્રેસ પાસે રાજકોટ ખાતે જ બે થી ત્રણ જૂથ અલગ અલગ કાર્યરત હોય એકબીજાને મદદરૂપ થતા નથી. અને ભાજપ નો વિરોધ કરવાની જગ્યાએ પોતાના નો જ વિરોધ કરી બેસે છે.જેથી કરી અને મુદ્દો પરિણામ લક્ષી હોવા છતાં કશું ઉપજતું નથી.
ઉપરોક્ત કોંગ્રેસનું કલ્ચર હાલ ભારતીય જનતા પક્ષમાં પણ પ્રવેશી ચૂક્યું છે. જોઈએ આવનારા સમયમાં ભાજપમાં પણ કેવા પરિવર્તનો આવે છે.