આપણું ગુજરાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

ઇ-એસેમ્બલીનું ૧૩મીએ કરશે લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે અને ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને ૧૩ તારીખે ઇ-એસેમ્બલીનું લોકાર્પણ કરશે.
રાષ્ટ્રપતિ તા. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરની ગુજરાતની મુલાકાત દરમિયાન લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને વિધાનસભાને સંબોધન પણ કરશે તેમ જ ગુજરાતની ઇ-એસેમ્બલીનું લોકાર્પણ કરશે.
મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ ૧૨ સપ્ટેમ્બરનાં રોજ ગુજરાત આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિને વિશેષ આમંત્રણ આપીને મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્માન ભવ: એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.
ગુજરાત ભાજપમાં ઉકળતો ચરુ : મનસુખ વસાવા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી ચાલ્યા ગયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો