આપણું ગુજરાત

PM મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી માતાને યાદ કરી થયા ભાવુક, કહીં આ વાત

અમદાવાદ: પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી મંગળવારે તેમની દિવંગત માતાન યાદ કરતા ભાવુક થયા હતા. તેમણે માતા હીરાબાને કહ્યું કે તે સ્વર્ગથી પ્રધાનમંત્રી મોદીને તેમના આશિર્વાદ આપી રહ્યા છે. સોમાભાઈ મોદીએ કહ્યું કે જનતાની જેમ તે પણ ઇચ્છે છે કે તેમનો ભાઈ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને.

છેલ્લી ચૂંટણી દરમિયાન મતદાન કરવા આવેલા તેમના ભાઈ પ્રધાનમંત્રી મોદી પહેલા ગાંધીનગર સ્થિત તેમની માના નિવાસસ્થાન પર જઈ તેમને મળતા હતા અને તેમના આશિર્વાદ લેતા હતા. હીરાબાનું નિધન ડિસેમ્બર 2022માં નિધન થઈ ગયું હતું. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ રાણિપ વિસ્તારમાં એક મતદાન કેન્દ્રની બહાર ભીની આંખો સાથે સોમાભાઈએ કહ્યું મેરી મા હવે નથી રહ્યા, પરંતું સ્વર્ગથી નરેન્દ્ર મોદીને તેમના આશિર્વાદ આપી રહ્યા હશે.

પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સવારે તેમનો મોત આપ્યો હતો, સોમાભાઈ મોદીએ રાણિપમાં મતદાન કેન્દ્રની બહાર પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે એકબીજાના ખબરઅંતર પુછ્યા હતા અને સ્વાસ્થ્યની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું આ વિસ્તારમાં લોકોની જેમ હું પણ ઇચ્છું છું કે આ ચૂંટણીમાં મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button