આપણું ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરાની બોટ દુર્ઘટના મુદ્દે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો શોક

વડોદરા: બોટ પલટી જવાના સમાચારને લઈને ગુજરાતભરમાં અરેરાટી ફેલાઇ ગઈ છે. હરણી તળાવમાં બોટ ઊંધી વળતાં 12ના મૃત્યુ થયાના સમાચાર બહાર આવી રહ્યા છે અને આ આંકડો વધવાની આશંકાઓ પણ કરવામાં આવી રહ્યા છે. 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટમાં સવાર હતા.

જાણવા મળતી વિગત મુજબ બોટમાં 31 લોકો સવાર હતા. 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ. હાલમાં, (18 જાન્યુઆરી, 2023, ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી), આ ઘટનામાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે, સંખ્યા વધવાની સંભાવના છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડૂબી ગયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ ડીપ ડાઇવર્સ અને સોનાર સિસ્ટમ સાથે આવી પહોંચી હતી. તળાવમાં ડૂબી ગયેલા બાળકો અને શિક્ષકોને શોધવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

બરોડાની દુર્ઘટના અંગે પીએમ મોદીએ એક્સ (અગાઉના ટવિટર) પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ લખ્યું હતું કે બરોડાના હરણી તળાવમાં બોટ ઊંધી વળવાની દુર્ઘટનામાં માર્યા જનારાથી હું વ્યથિત છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય અને સ્થાનિક તંત્રો દ્વારા પીડિતોને શક્ય એટલી મદદ પહોંચાડવામાં આવી રહી છે. પીએમ ફંડમાંથી દરેક મૃતકના પરિવારોને બે લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને રુપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે.

આ ઘટનાને લઈને હર્ષ સંઘવીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…