પાટીદાર ચિંતન શિબિરમાં કેમ થયો હોબાળો? જાણો વિગત…
હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયાની સૂચક ગેરહાજરી

ગાંધીનગરઃ અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ પાટીદાર અનામત આંદોલન સમિતીના નેજા હેઠળ ગાંધીનગરમાં બેઠક ચિંતન શિબિર બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતનાં પાટીદાર સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત કહ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજીત આ બેઠકમાં સમાજનાં સંગઠનો, અગ્રણીઓ સહિત અનેક લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. જો કે આ શિબિરમાં આશ્ચર્યજનક રીતે પાટીદાર અનામત આંદોલનમાં સૌથી વધુ ચમકેલા અને હાલનાં ભાજપનાં ધારાસભ્ય હાર્દિક પટેલને દુર રાખવામાં આવ્યા હતા. આ મામલો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો હતો.
પાટીદાર સમાજની ચિંતન શિબિરમાં શરૂ થઈ તે સાથે જ બબાલ શરૂ થઇ ગઇ હતી. પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલને મીટિંગ માટે નહીં બોલાવવામાં આવતા બબાલ કરી કરી હતી. આ તેમણે બાબતે વાંધો ઉઠાવ્યો હતો જેથી મામલો ગરમાઇ ગયો હતો. શાંતિલાલ સોજીત્રા અમદાવાદના નિકોલના પાસ આગેવાન છે. તેઓ આમંત્રણ બાબતે પ્રથમ રિસાયા અને બાદમાં અણગમો વ્યક્ત કરીને બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા. આ સમયે અન્ય આગેવાનોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ગાંધીનગરના સરગાસણમાં યોજાયેલી ચિંતન શિબિરમાં પાટીદાર આગેવાનોએ રાજકીય મુદ્દાઓની ચર્ચા કર્યા વગર વિવિધ સામાજિક સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી અને તેનો ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો.
ભાગીને લગ્ન કરવાના કિસ્સામાં સ્થાનિક રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી અને માતા અથવા પિતાની સહમતી ફરજિયાત કરવી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCની માફક EWSને અનામત આપવી, ગોંડલને ભયમુક્ત બનાવવા સહિતના સાત મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ માંગણી પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા સક્રિયપણે ઉઠાવવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે આ મુદ્દો આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં કેન્દ્ર સ્થાને રહી શકે છે. આ બેઠકમાં આંદોલન સમયે સક્રિય રહેલા મોટાભાગના પાસના આગેવાનો હાજર રહ્યા હતા. તાજેતરમાં વિસાવદર સીટ પરથી પેટા ચૂંટણી લડીને વિજેતા બનેલા ગોપાલ ઈટાલિયા ગેરહાજર રહ્યા હતા.