આપણું ગુજરાત

માધ મેળાને ધ્યાનમાં રાખી ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશન પર ઊભી

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજકોટઃ
સૌરાષ્ટ્રના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશન પર ઊભી રહેશે, તેમ રેલવેએ જણાવ્યું હતું. અહીં માધ મેળામાં જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે રેલવેની વ્યવસ્થા ઘણી લાભદાયી સાબિત થશે.

માઘ મેળા નિમિત્તે પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ, રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા-વારાણસી એક્સપ્રેસને પ્રયાગ સ્ટેશન પર 2 મિનિટનું ટેમ્પરરી સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના ઐતિહાસિક માધવપુર ઘેડના મેળામા 6.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત‌ લીધી

ઓખા-વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે 23:23 કલાકે અને પ્રસ્થાન સમય રાત્રે 23:25 કલાકે રહેશે, તેમ રેલવેએ જણાવ્યું હતું.

આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવીને 20 ફેબ્રુઆરી, 2026 સુધી રહેશે. આ અસ્થાયી સ્ટોપેજ સિવાય ટ્રેનના સમયપત્રક કે રૂટમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેવી માહિતી પણ રેલવેએ આપી હતી.

ત્રીજી જાન્યુઆરીખી માધ મેળો શરૂ થયો છે. આ મેળો 40 દિવસથી વધુ ચાલશે અને 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ મહાશિવરાત્રીના રોજ સમાપ્ત થશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button