આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Rajkot નો ટીઆરપી ગેમ ઝોન ચાર વર્ષથી ફાયર NOC કે મંજૂરી વગર ચાલતો હતો

અમદાવાદ: ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરના ના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે  લાગેલી ભીષણ આગમાં(Fire) 32 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકો હતા. આ ઘટનામાં 15 બાળકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સમયે ગેમ ઝોનમાં 70 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અન્ય 45 કર્મચારીઓ પણ અંદર હતા. જો કે આ દુર્ઘટના બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં છેલ્લા ચાર વર્ષથી આ ગેમ ઝોન વગર મંજૂરીએ અને ફાયર એનઓસી(Fire NOC) વગર ચાલતો હતો. જે વહીવટીતંત્રની ઘોર ઉદાસીનતા છતી કરે છે. તેમજ નિયમોનું પાલન કરવામાં તંત્રની બેદરકારી સામે આવી છે.

ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હતી

જેમાં મળતી વિગતો મુજબ આ સમગ્ર ગેમઝોન કામચલાઉ સ્ટ્રકચર ઊભો કરીને શરૂ કરવામાં આવ્યો હતો. જેથી કોઇ મંજૂરી લેવાની જરુર ના પડે. તેમજ આટલું મોટું સ્ટ્રક્ચર ઊભું કરાયું હોવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓનું આ તરફ કોઈનું ઘ્યાન પણ ન ગયું તે નવાઈ પમાડે તેવી બાબત છે. આ સમગ્ર સ્ટ્રક્ચરની વાત કરીએ તો તેમાં આવવા અને જવા માટે એક જ ગેટ રાખવામાં આવ્યો હતો. તેમજ બે માળના ડોમમાં હવા ઉજાસ માટે કોઇ જ વ્યવસ્થા ન હતી. તેમજ આ ગેમ ઝોનમાં રાઈડ ચલાવવા માટે પેટ્રોલ એન ડીઝલનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હતી અને ફાયર ફાઇટિંગના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો.

બાળકોના મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ

આગમાં જીવ ગુમાવનાર બાળકો સંપૂર્ણ રીતે દાઝી ગયા હતા. આવી સ્થિતિમાં મૃતકોના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આવા બાળકોના મૃતદેહ ડીએનએ ટેસ્ટ બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.

ગેમ ઝોનના મુખ્ય સંચાલકની ધરપકડ

રાજકોટના TRP ગેમ ઝોનના માલિકો પૈકીના યુવરાજસિંહ સોલંકી તથા ગેમ ઝોનના મેનેજર નિતિન જૈનની શહેર ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે, રાજકોટમાં બનેલી દુર્ઘટનાથી ગુજરાત સરકાર સતત ચિંતિત છે અને દુર્ઘટના અંગે રાજયસ્તરની સીટની રચના કરશે. ગુજરાત સરકાર રાજ્યના ચારથી પાંચ સિનિયર પોલીસ અધિકારીઓની સીટની રચનાની કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો