ગુજરાતભરમાં નૂતન વર્ષની ઉલ્લાસભેર ઉજવણી: રાજભવન ખાતે 'નૂતન વર્ષ મિલન સમારોહ'નું આયોજન...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતભરમાં નૂતન વર્ષની ઉલ્લાસભેર ઉજવણી: રાજભવન ખાતે ‘નૂતન વર્ષ મિલન સમારોહ’નું આયોજન…

ગાંધીનગર: આજે વિક્રમ સંવત ૨૦૮૨નો પ્રથમ દિવસ એટલે કે સમગ્ર ગુજરાત માટે નૂતન વર્ષ છે. રાજ્યભરમાં નૂતન વર્ષનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરો, દેવાલયો અને દેરાસરોમાં દેવ દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.

નૂતન વર્ષના શુભ અવસરે મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવીને ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો મોટી સંખ્યામાં આ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે અને નવા વર્ષની શુભ શરૂઆત કરી રહ્યા છે.

રાજભવન ખાતે નૂતન વર્ષ મિલન સમારોહ

આ ઉપરાંત, ગાંધીનગર ખાતે તારીખ ૨૨ ઓક્ટોબર ૨૦૨૫, વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે રાજભવન ખાતે ‘નૂતન વર્ષ મિલન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમારોહ અન્વયે સામાન્ય નાગરિકો પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળીને નવા વર્ષની શુભકામનાઓનું આદાન પ્રદાન કરી શકશે. નાગરિકો સવારે ૯ થી ૧૦ કલાક સુધી રાજયપાલને મળી શકશે.

આ પણ વાંચો…દિવાળી પછી ગુજરાતમાં માવઠાની આગાહી: ખેડૂતોની ચિંતા વધારતા હવામાન વિભાગના સંકેતો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button