આપણું ગુજરાત

ચોટીલા ચામુંડાના દર્શન કરવા જાઓ તો આ ટાઈમટેબલ જાણી લેજો


નવરાત્રી માત્ર રાસગરબા રમવાનો નહીં, પણ માતાજીની ભક્તિનીનો પણ તહેવાર છે. આ દિવસોમાં હજારોની સંખ્યામાં ભક્તો માના દર્શનાર્થે જાય છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ખેલૈયાઓ પણ ગરબાની રમઝટ માટે આતુરતા પૂર્વક તૈયારીઓ કરી રહ્યાં છે. બીજી તરફ માતાજીના યાત્રાધામોમાં પણ નવ દિવસની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ત્યારે નવરાત્રી દરમિયાન ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ ચોટીલાના દર્શને જતાં હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો હોવાની જાહેરાત કરવામાં આવી છે.


ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજી મંદિરે 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી નવરાત્રી દરમિયાન આરતી તેમજ હવન અને આઠમની પૂજા વિધી વગેરેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ચોટીલા ચામુંડા માતાજી મંદિરે 15-10-2023ના રોજ પ્રથમ નોરતા અને 22-10-2023ના આઠમ નોરતાની સવારની આરતીનો સમય 04:00 વાગ્યાનો રહેશે. જોકે નવરાત્રીના બાકીના 7 દિવસ સવારની આરતીનો સમય 05:00 વાગ્યાનો રહેશે, તેમ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button