આપણું ગુજરાત

વડોદરામાં આવાસ યોજના હેઠળ મુસ્લિમ મહિલાને ફ્લેટ ફાળવવામાં આવ્યો, સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

વડોદરા: શહેરમાં ધર્મના આધાર પર એક મુસ્લિમ મહિલા સાથે ભેદભાવની ગંભીર ઘટના બની છે. એન્ટરપ્રેન્યોરશીપ એન્ડ સ્કિલ ડેવલોપમેન્ટ મંત્રાલયમાં કામ કરતી 44 વર્ષીય મુસ્લિમ મહિલાને વર્ષ 2017 વડોદરાના હરણી ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યું હતું. જો કે, તે નવા ઘરમાં રહેવા જઈ શકે એ પેહલા જ હાઉસિંગ કોમ્પ્લેક્સના નિવાસીઓએ મુસ્લિમ મહિલાને ઘર આપવાનો વિરોધ કરી રહ્યા છે.

462 એકમો ધરાવતા હાઉસિંગ કોમ્પ્લેક્સના 33 રહેવાસીઓએ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓને લેખિત ફરિયાદ મોકલી હતી, જેમાં ‘મુસ્લિમ’ વ્યક્તિને સોસાયટીમાં રહેવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે મહિલા આ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એકમાત્ર મુસ્લિમ છે.

એક અખબારના અહેવાલ મુજબ વડોદરાના કમિશનર દિલીપ રાણા આ અંગે ટિપ્પણી કરી નથી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અને સોસાયટીના અધિકારી નિલેશકુમાર પરમારે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

મહિલાનું કહેવું છે કે આ વિરોધ સૌપ્રથમ 2020માં શરૂ થયો હતો, જ્યારે અહીંના રહેવાસીઓએ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને પત્ર લખીને તેમના ઘરની ફાળવણીને અમાન્ય કરવાની માંગ કરી હતી. જો કે, ત્યારબાદ હરણી પોલીસ સ્ટેશને તમામ સંબંધિત પક્ષકારોના નિવેદનો નોંધ્યા હતા અને કેસનો નિકાલ કર્યો હતો. આ જ મુદ્દે તાજેતરનો વિરોધ 10 જૂને થયો હતો.

એક અખબારના અહેવાલ મુજબ મુસ્લિમ મહિલાએ કહ્યું કે હું વડોદરાના મિશ્ર વિસ્તારમાં મોટી થઈ છું. હું હંમેશા ઇચ્છતી હતી કે મારો પુત્ર વધુ સારા વિસ્તારમાં ઉછરે, પરંતુ મારા સપના ચકનાચૂર થઈ ગયા છે. લગભગ છ વર્ષથી હું જે સંઘર્ષનો સામનો કરી રહ્યો છું તેનો કોઈ ઉકેલ નથી. મારો દીકરો હવે 12મા ધોરણમાં છે અને આ શું ચાલી રહ્યું છે તે સમજવા માટે સક્ષમ છે. આ ભેદભાવ તેને માનસિક રીતે અસર કરશે.”

જિલ્લા કલેક્ટર, મેયર, VMC કમિશનર તેમજ વડોદરાના પોલીસ કમિશનરને સુપરત કરવામાં આવેલી ફરિયાદમાં 33 સહી કરનારાઓએ મહિલા લાભાર્થીને ફાળવવામાં આવેલા નિવાસને “અમાન્ય” કરવાની માંગ કરી છે અને લાભાર્થીને બીજી આવાસ યોજનામાં શિફ્ટ કરવાની માંગ કરવામાં આવી છે.

મોટનાથ રેસીડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસીસ સોસાયટી લિમિટેડના મેમોરેન્ડમમાં લખ્યું છે, “VMC એ માર્ચ 2019માં લઘુમતી (મુસ્લિમ મહિલા)ને ઘર નંબર K204 ફાળવ્યું છે. અમે માનીએ છીએ કે હરણી વિસ્તાર હિંદુ બહુમતી શાંતિપૂર્ણ વિસ્તાર છે અને લગભગ ચાર કિલોમીટરના મુખ્ય વિસ્તારમાં મુસ્લિમોની કોઈ વસાહત નથી. VMC દ્વારા આ ફાળવણી 461 પરિવારોના શાંતિપૂર્ણ જીવનમાં આગ લગાડવા સમાન છે.”

અરજીમાં એક સહીકર્તાએ કહ્યું: “VMC ની ભૂલ છે કે તેઓએ ફાળવણી દરમિયાન ઓળખપત્રને ક્રોસ-ચેક નથી કર્યા…અમે બધાએ આ વસાહતમાં ઘરો બુક કરાવ્યા છે કારણ કે તે હિન્દુ વિસ્તાર છે અને અમે અન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડના વ્યક્તિઓ અમારી વસાહતમાં રહે તે પસંદ નથી કરતા.”

મહિલા હાલમાં તેના માતા-પિતા અને દીકરા સાથે વડોદરાના અન્ય વિસ્તારમાં રહે છે. મહિલાએ કહ્યું કે “હું માત્ર આ વિરોધને કારણે મારી મહેનતથી કમાયેલી મિલકત વેચવા માંગતી નથી. હું રાહ જોઈશ… મેં વસાહતની મેનેજિંગ કમિટી પાસે વારંવાર સમય માંગવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ જવાબ આપતા નથી. તેઓ તેમના તાજેતરના વિરોધના બે દિવસ પહેલા, તેઓએ મને મેન્ટેનન્સના બાકી લેણાંની માંગણી માટે ફોન કર્યો. મેં કહ્યું કે જો તેઓ મને એક નિવાસી તરીકેનું પ્રમાણપત્ર પ્રદાન કરે જે તેઓએ મને સોંપ્યું નથી તો હું તે જ ચૂકવવા તૈયાર છું. VMC એ પહેલાથી જ તમામ રહેવાસીઓ પાસેથી વન-ટાઇમ મેઇન્ટેનન્સ ચાર્જ તરીકે રૂ. 50,000 લીધા હતા.”

કોલોનીના અન્ય રહેવાસીએ લાભાર્થી મહિલાને સમર્થન આપ્યું છે, “જે થઇ રહ્યું છે એ અયોગ્ય છે કારણ કે તે સરકારી યોજનાના લાભાર્થી છે અને તેને કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફ્લેટ ફાળવવામાં આવ્યો છે…”

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker