આપણું ગુજરાત

ગુજરાતનાં પ્રવાસન સ્થળોની દિવાળીની રજાઓમાં ૪૨ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

અમદાવાદ: ગુજરાતના આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. ૧૧થી ૨૦ નવેમ્બર ૨૦૨૩ સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના ૧૮ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૪૨ લાખ ૭૫ હજાર ૯૫૨ લોકોએ મુલાકાત લીધી હતી.

આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રોપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણકી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધાં છે. વર્ષ ૨૦૨૩-૨૪ના રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના ફંડમાં ૩૪૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હેરિટેજ અને ઇકો ટૂરિઝમ માટે રૂ. ૧૦ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. યાત્રાધામની મુલાકાતે જતા શ્રદ્ધાળુઓના અનુભવને બહેતર બનાવવા માટે યાત્રાધામ વિકાસ માટે રૂ.૨૦૭૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટૂરિઝમનો વિકાસ કરવામાં આવશે. તાજેતરમાં ભારતની યજમાનીમાં આયોજિત થયેલી જી-૨૦ બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવાં વિશ્ર્વકક્ષાના પ્રવાસન સ્થળોએ જી-૨૦ બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, જી-૨૦ દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો.

જી-૨૦ પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતનાં આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્ર્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત