આપણું ગુજરાત

ગુજરાતમાંથી બે દિવસમાં ચોમાસું વિદાય લેશે: ભાદરવાનો તાપ શરૂ થયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતને ચાલુ વર્ષે તરબોળ કરી દેનારાં મેઘરાજાની હવે વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. હવામાન વિભાગે બે દિવસમાં ચોમાસું વિદાય લેશે એવો વર્તારો આપ્યો છે. જ્યારે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે રાજ્યમાં દિવસની ગરમીનો પારો ઊંચકાતાં લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીની બેવડી ઋતુ શરૂ થઇ છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ તાપમાન ૩૫ ડિગ્રીની ઉપર રહ્યું છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૧૦૩ ટકા જેટલો સારો વરસાદ વરસ્યાં બાદ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે તેમજ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાદરવાની કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદ સહિતનાં મહાનગરોમાં પણ દિવસે સૂર્યનારાયણ તપ્યાં છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનાં બેવડી મોસમથી ઋતુજન્ય બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા