સાવજ માટે સુવિધાઃ મહુવા-સુરત-મહુવા ટ્રેન સુપરફાસ્ટને બદલે હવે એક્સપ્રેસ તરીકે દોડાવાશે

જુનાગઢઃ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા સિંહના મૃત્યુ અંગે હાઈ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને રેલવે બોર્ડ અને સ્થાનિક તંત્રોને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. આ સૂચનાને ધ્યાનમાં લઈ રેલવે બોર્ડ અમુક નિર્ણયો લઈ રહી છે. આવા જ એક નિર્ણય અંતર્ગત રેલ્વે બોર્ડ દ્વારા મહુવા-સુરત અને સુરત-મહુવાને હવે સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી તા. 24થી રાજુલા, સાવરકુંડલા, લીલીયા મોટા અને દામનગર સ્ટેશને ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જાણો બદલાયેલો સમય અને શિડ્યુઅલ
તાજેતરમાં વન વિભાગ દ્વારા સિંહ સહિતના વન્યપ્રાણીની સુરક્ષા માટે ગતિ નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે. ગતિ નિયંત્રણને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે મહુવા-સુરત અને સુરત-મહુવાને એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 20956 મહુવા-સુરત સુપરફાસ્ટ હવે 25મી ઓગસ્ટથી ટ્રેન નંબર 19256 મહુવા-સુરત એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ ટ્રેન મહુવા સ્ટેશનેથી એક કલાક 20 મિનિટ વહેલી એટલે કે સાંજે 7.18ના વર્તમાન નિર્ધારીત સમયને બદલે 7.55 વાગ્યે ઉપડશે.
ઢસા અને સુરત વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર નથી. જેમાં તેના આગમન/ પ્રસ્થાનનો સમય અનુક્રમે રાજુલા સ્ટેશન પર સાંજે 6.35/6.37, સાવરકુંડલા પર સાંજના 7.44/ 7.45, લીલીયા મોટા પર 8.22/8.23 અને દામનગર સ્ટેશન પર રાત્રીના 9.00/9.01નો રહેશે.