વડોદરા સેક્શનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણી લો નવી અપડેટ…

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 25 જૂન 2025 ના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે:
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેન
- ટ્રેન નંબર 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
- ટ્રેન નંબર 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
- ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રિશિડયુલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો
1.ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રેહશે.
2.ટ્રેન નંબર 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રેહશે
3.ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રેહશે.
4.ટ્રેન નંબર 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે.
ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરવા વિનંતી કરવામાં આવી હતી. ઉપરાંત ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતીમાટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.