વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી ટ્રાફિકજામ સર્જાયો, 108 પણ ફસાઈ

વડોદરાઃ વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
પોર-બામણગામ રોડ પર ઊભેલા આ ટ્રાફિકજામમાં ઇમર્જન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે એમ્બ્યુલન્સ ચાલકને રોંગ સાઈડમાં બે કિલોમીટર સુધી ચલાવી હતી. ટ્રાફિક જામના કારણે નોકરી ધંધાર્થે જતા તેમજ શાળાએ બાળકોને મૂકવા જતા લોકોને હાલાકી વેઠવી પડી હતી.
આપણ વાંચો: વાંક કોનો વરસાદનો કે તંત્રનો? મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર 5 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો
તાજેતરમાં જ તંત્ર દ્વારા હાઇ-વે પર પરિસ્થિતિનો તાગ મેળવી અવારનવાર સર્જાતી ભારે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી. જોકે તેમ છતાં પણ હાઇ-વેના માર્ગોની દયનીય પરિસ્થિતિ હતી. મોટા-મોટા ખાડાઓને કારણે વાહનો ધીમા હાંકવા લોકો મજબૂર બન્યા હતા, જેના કારણે અનેક વખત ટ્રાફિકજામ થતો હોય છે.
ઉલ્લેનીય છે કે થોડા દિવસ પહેલા પણ અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.
નેશનલ હાઇવે પર વાહનોના થપ્પા લાગતાં કામ અર્થે નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ઉપરાંત આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકને કારણે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી