
દાહોદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. સૌથી પહેલા તેઓ વડોદરા ખાતે પહોંચ્યાં હતા. આ દરમિયાન વડોદરાવાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા એક કિલોમીટરના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. રોડ શો બાદમાં PM મોદીએ દાહોદમાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ આ ટ્રેન સેવાનો શુભારંભ કરાવ્યો
પીએમ મોદીએ અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેન, વલસાડ-દાહોદ નવી ટ્રેન અને કલોલ-કટોસણ વચ્ચે નવી ફ્રેઈટ ટેન સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેમથી યાત્રાળુઓની સુવિધા વધશે, માલસામાનનું વહન ઝડપી બનવાનું છે. પીએમ મોદી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ – રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કર્યું હતું.

દાહોદમાં 23,692 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું
આ સાથે સાથે આણંદ – ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ – હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી – બોટાદ 107 કી.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ – કડી – કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ ₹2287 કરોડના કામો સહિત રેલવેના કુલ ₹ 23,692 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દાહોદમાં 9,000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે. દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 21 હજાર કરોડથી વધુના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે.

રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું
નોંધનીય છે કે, PMએ દાહોદમાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરી નિરીક્ષણ પણ કર્યું હતું. રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટના લોકાર્પણ સાથે સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદી નવ નિર્મિત પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું તે દરમિયાન પીએમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. એટલું જ નહીં પરંતુ વડા પ્રધાન દ્વારા દાહોદ નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ, સ્માર્ટ લાઈબ્રેરી, સ્માર્ટ પ્રા. શાળા, ટ્રક ટર્મિનલ-ડોરમેટરી, દૂધમતી રિવરફ્રન્ટ જેવા અનેક પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે.