દાહોદ

દાહોદ મનરેગા કૌભાંડમાં પ્રધાન બચુ ખાબડના બંને પુત્રોને કસ્ટડીમાં ધકેલાયા, ટીડીઓ સહિત ત્રણ જણાની ફરી ધરપકડ…

દાહોદઃ દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે પ્રધાન બચુ ખાબડનાં બંને પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતાં કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. લવારીયા અને ધાનપુરના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટર તેમજ રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ફરી રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

5 લોકોની કરાઈ હતી ધરપકડ
દાહોદમાં મનરેગા કૌભાંડમાં પ્રધાન બચુ ખાબડના બંને પુત્રો અને ભાણેજ સહિત 5 લોકોની ધરપકડ કરાઈ હતી. જેમાંથી પ્રધાન પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડને સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ 71 કરોડના મનરેગા કૌભાંડમાં જામીનમુક્ત કરેલા પાંચ સરકારી કર્મચારી પૈકી ત્રણની વધુ બે ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બંને ગ્રામ રોજગાર સેવક જામીન પર છુટા થયા હતા.

દાહોદની સેશન્સ કોર્ટે 71 કરોડના મનરેગા કૌભાંડમાં તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) બે ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ બે ગ્રામ રોજગાર સેવકોને જામીન આપ્યા હતા. જે પછી પોલીસે વધુ બે ગુનામાં જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) અને ધરપકડ પહેલા ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવતા રસિક રાઠવા ઉપરાંત જયવીર અશ્વિન નાગોરી એકાઉન્ટ આસિસ્ટન્ટ દે.બારીયા અને મહિપાલસિંહ ચૌહાણ એકાઉન્ટ આસિસ્ટન્ટ ધાનપુરની શનિવારે ધરપકડ કરી હતી.

આપણ વાંચો : દાહોદ મનરેગા કૌભાંડ: બંને દીકરાની ધરપકડ બાદ બચુ ખાબડે Video જાહેર કરી કર્યો આવો ખુલાસો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button