ક્યાં સુધી ચાલશે નકલીઃ હવે ગુજરાતમાં ‘બનાવટી DySp’નો ફૂટ્યો ભાંડો, આણંદના સોજીત્રામાં નોંધાયો ગુનો

આણંદ: ગુજરાતમાં વધુ એક નકલીનો પર્દાફાશ થયો હતો. આણંદના સોજીત્રાની નિશા વ્હોરા DySP હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો હતો. જે બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ લગાવ્યો છે કે નિશા વ્હોરાના તમામ દાવા ખોટા છે. તેમણે GPSCની પરીક્ષા પાસ નથી કરી. આ મુદ્દે હવે આણંદની સોજીત્રા પોલીસ સ્ટેશન ખાતે નિશા વ્હોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
નિશા વ્હોરા સામે પોતે DySPના હોદ્દા પર નહીં હોવા છતાં પોતાને ઉચ્ચ અધિકારી હોવાનો ડોળ કરવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સાથે પોતાના સરકારી અધિકારી હોવાસ બાબતનો પ્રચાર કરવા તેમજ ઈરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દે આણંદ LCBની ટીમે તપાસ હાથ ધરી હતી.
સોજીત્રાની નિશા વ્હોરા વિરૂધ્ધ ડીવાયએસપીનો સ્વાંગ રચવા બદલ ગુનો દાખલ કરાયો
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 5, 2025
૨૪ વર્ષની ઉંમરે જીપીએસસીની પરિક્ષા પાસ કરીને ડીવાયએસપી બન્યા બાબતની ગેરરજુઆત કરીને સમાજના માણસો પાસેથી અલગ-અલગ જગ્યાએ સન્માન-પ્રતિષ્ઠા મેળવીને પ્રજા સાથે ઠગાઈનો આરોપ
સોજીત્રાની નિશા વ્હોરા વિરૂધ્ધ… https://t.co/L2M06cJ9iX pic.twitter.com/Gc6ka9wTkZ
નકલી DySP નિશા વ્હોરાએ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેના પણ ફોટા પડાવ્યા હતા અને બહુમાન મેળવ્યું હોવાના ફોટા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણા રાજ ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશ જેવા પ્રશસ્તિ પત્રો મેળવી અને સમાજના કાર્યક્રમોમાં ભરપૂર વાહવાહી પણ લૂંટી છે. મુસ્લિમ સમાજ સહિતના અનેક સામાજીક સંગઠનોમા વિવિધ કાર્યક્રમોમાં તેનું GPSC પાસ કરી Dysp બની હોવા અંગે સન્માન પણ થઈ ચૂક્યું છે.
ખરેખર આ હદ સુધી કેમ જવું પડતું હશે ?? https://t.co/L2M06cJH8v pic.twitter.com/I0C33ALAtb
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 4, 2025