ભરતસિંહ સોલંકીનો પારિવારિક વિવાદ ફરી સપાટી પર: પત્ની અને મહિલામિત્ર જાહેરમાં બાખડયાં…

આણંદઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં આવ્યો હતો. આણંદમાં ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ અને સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપુત સામસામે આવી ગયા હતા. વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર પત્ની- સ્ત્રી મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ભરતસિંહના સ્ત્રીમિત્ર રિદ્ધિ રાજપુતને પત્ની રેશ્મા પટેલએ જાહેરમાં ધમકાવ્યાની ચર્ચા શરૂ થઇ હતી.
લાંબા સમય સુધી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી. અગાઉ પણ ઘરમાં ઘૂસી ભરતસિંહના પત્નીએ સ્ત્રીમિત્રને મેથીપાક ચખાડ્યો હતો. ભરતસિંહના પત્ની અને સ્ત્રી મિત્રને મેથીપાક ચખાડતો વીડિયો પણ વાયરલ થયો હતો. બબાલ બાદ મોડી રાત્રે ભરતસિંહને સ્ત્રી મિત્રને લઈ પોલીસ મથકે જવાની ફરજ પડી હતી. સ્ત્રીમિત્ર રિદ્ધિ રાજપુતએ ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ વિરૂદ્ધ પોલીસમાં અરજી આપી હતી. ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેનો વિવાદ હાલ કોર્ટમાં છે. પોલીસ તરફથી ઘટના અંગે હજુ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં ભરતસિંહ સોલંકીના પત્ની અને ભરતસિંહની સ્ત્રી મિત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ કાર્યવાહી થશે કે કેમ તે અંગે અસમંજસ છે. મોડી રાત્રે બનેલી ઘટનામાં કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ આણંદ ટાઉન પોલીસ મથકે દોડી આવ્યા હતા.
અગાઉ પણ થઈ છે માથાકૂટ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેની તકરારની ઘટના નવી નથી. અગાઉ પણ તેઓ એકબીજા વિરુદ્ધ જાહેરમાં આક્ષેપો કરી ચૂક્યા છે. ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં ભરતસિંહ અને પત્ની વચ્ચે ભારે ઝપાઝપી થયેલી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. તે સમયે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની સાથે હવે કોઇ સંબંધ નથી. ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ હાલ કોર્ટ હેઠળ છે.
ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર છે. 2004 થી 2014 સુધી ગુજરાતના આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. યુપીએ સરકાર દરમિયાન તેમણે કેન્દ્રમાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયો સંભાળ્યા હતા. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. તેમજ 2004 થી 2006 દરમિયાન તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. છેલ્લા થોડા સમયથી ભરતસિંહ સોલંકી સમયાંતરે અમુક અંગત અને રાજકીય બાબતોને લઈને ચર્ચામાં રહ્યા છે.
આપણ વાંચો : કૉંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર: ભરતસિંહ સોલંકી, દીપક બાબરીયાને કર્યા સેવા નિવૃત્ત…