અમિત શાહે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં રજિસ્ટર વોલ પર શું લખ્યું?

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદ પહોંચીને તેમણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે મુલાકાતીઓના રજિસ્ટરમાં પોતાની નોંધ લખી હતી. તેમણે લખ્યું કે, કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ.
Ahmedabad is ready for athletes from "Commonwealth" countries.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) November 22, 2025
Welcome!
Shri Amit Shah
Member of Parliament, Gandhinagar Loksabha and
Minister for Home and Cooperation ,Government of India#AhmedabadWelcomesAthletes #CommonwealthAthletes #AhmedabadIsReady #SportsSpirit… pic.twitter.com/mf9t5KzCMG
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે મોરબીમાં જણાવ્યું હતું કે, બિહાર ચૂંટણીમાં જબરદસ્ત જીત નોંધાવ્યા બાદ, એનડીએ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પણ જીતશે અને ત્યાં સરકાર બનાવશે. મોરબીમાં ભાજપના નવનિર્મિત જિલ્લા મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ એક સભાને સંબોધતા શાહે કોંગ્રેસ પર પોતાની વોટ બેંકની રાજનીતિ માટે ઘૂસણખોરોને સમર્થન આપવાનો અને તેમને બચાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટી દરેક ઘૂસણખોરને દેશમાંથી બહાર કાઢવાનો પાક્કો ઇરાદો ધરાવે છે. તેમણે કહ્યું કે ઘૂસણખોરોને દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી.
તેમણે SIRનો વિરોધ કરવા બદલ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. તેમની આ ટિપ્પણી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને કડક શબ્દોમાં લખેલા પત્રના એક દિવસ પછી આવી છે. મમતા બેનર્જીએ આ પ્રક્રિયાને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી.
આપણ વાંચો: આધારકાર્ડ સબમિટ કરવાનો વિરોધ કરનારા મેડિકલ સ્ટુડન્ટનું પીજી રજિસ્ટ્રેશન વિવાદમાં



