અમદાવાદટોપ ન્યૂઝ

પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રે લોકલાડિલા નેતા વિજય રુપાણીને ગુમાવ્યા, રાજકારણમાં અનન્ય આપ્યું હતું યોગદાન…

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશમાં (ahmedabad plane crash) થયું, જેમાં 242 પ્રવાસી સવાર હતા. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (ઉ.વ.69) (ex cm vijay rupani) પણ સવાર હતા. વિજય રૂપાણીના પ્લેન ક્રેશના અકસ્માતના સમાચાર મળતાં તેમના ઘર પાસે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વિજય રૂપાણીનો જન્મ બર્મામાં થયો

વિજય રૂપાણીનો જન્મ બર્મા કે જે અત્યારે મ્યાનમાર તરીકે ઓળખાય છે. અહીં રાજધાની રંગુન ખાતે રૂપાણીનો જન્મ થયો હતો. 2 ઓગસ્ટ 1956માં વિજય રૂપાણીનો જન્મ થયો હતો. ત્યાર પછી 1960 દરમિયાન પરિવાર રાજકોટ પરત ફર્યો હતો અને અહીંથી વિજય રૂપાણીએ ભણતર અને આગામી કારકિર્દી રાજકોટમાં આગળ શરૂ કરી હતી.

આપણ વાંચો: મેઘાણીનગરમાં પ્લેન ક્રેશઃ દુર્ઘટનાના સાક્ષીઓ અને પીડિતોએ શું કહ્યું?

વિજય રૂપાણીએ 1971થી એબીવીપી, આરએસએસ અને જનસંઘ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. તેવામાં 1976ની કટોકટી સમયે મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ અંતર્ગત તેઓ ભાવનગર અને ભુજની જેલમાં ગયા હતા.

વિજય રૂપાણીએ ત્યારપછી LLBનો અભ્યાસ કર્યો પરંતુ વકીલાત કરવાને બદલે તેમણે 1978થી 1981 સુધી RSSના પ્રચારક તરીકે કામ કરવાનું શરૂ રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે 80ના દશકા દરમિયાન સંઘ દ્વારા ઘણા લોકોને જનસંઘમાંથી બનેલા ભાજપમાં મોકલવામાં આવતા હતા. તેઓ ભાજપ એકમના મહામંત્રી હતા.

ત્યારપછી વિજય રૂપાણી પોતાની રાજકીય કારકિર્દીના જાણો શ્રી ગણેશ કર્યા એમ પણ કહી શકાય. તેમણે 1987માં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી લડી. ત્યાર પછી 1988થી એક દાયકાઓ સુધી તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા હતા તથા 1996-97માં આગળ જતા વિજય રૂપાણી મેયર બન્યા હતા.

આપણ વાંચો: ચમત્કારઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં એક યાત્રી જીવિત હોવાના સમાચાર

વિજય રૂપાણીને ત્યારપછી ભાજપમાં રાજ્ય કક્ષાના સંગઠનોમાં પણ સ્થાન મળવા લાગ્યું હતું. કેશુભાઈની સરકાર બની પછી 1995માં કેશુભાઈની સરકાર બની ત્યારપછી 1998માં વિજય રૂપાણી પ્રદેશ મહામંત્રી તરીકે પસંદગી પામ્યા હતા.

ત્યારપછી પર્યટન નિગમ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો છે. આની સાથે જ જોવા જઈએ તો વિજય રૂપાણી 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વજુભાઈવાળાની વિદાય પછી રાજકોટ પશ્ચિમથી વિજય રૂપાણી પેટા ચૂંટણી લડ્યા હતા. આમાં તેમની જીત થઈ હતી અને તેઓ ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલની સરકારમાં વિજય રૂપાણીને સારી એવી જવાબદારી પણ મળી હતી. તેઓ આનંદીબેન સરકારમાં કેબિનેટ પ્રાધાન બન્યા હતા. ત્યારપછી ફેબ્રુઆરી 2016માં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ તેમને મુખ્ય પ્રધાન બનવાની પણ તક મળી ગઈ હતી.

આપણ વાંચો: પ્લેન ક્રેશઃ ટેકઓફ અને લેન્ડિંગ વખતે શા માટે હોય છે સૌથી વધુ જોખમ? જાણો કારણો

મુખ્ય પ્રધાન બનવાનો કિસ્સો રહ્યો સૌથી ચર્ચિત

આનંદીબેન પટેલે ઓગસ્ટ 2016માં રાજીનામુ આપ્યા પછી ગુજરાતના મુખ્ય પ્રધાન કોણ હશે એ કોયડો ગુંચવાયો હતો. પસંદગી માટે તે સમયે તો નીતિન પટેલને લગભગ મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરી દેવાયા હતા એવી અટકળો આવી હતી.

મોટાભાગે એવી જ ચર્ચા ચાલી રહી હતી કે નીતિન પટેલ જ મુખ્ય પ્રધાન બનશે. પરંતુ આ સમયે તમામ ચર્ચાઓના વેગ વચ્ચે ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરી દેવાયા હતા.

11 સપ્ટેમ્બર 2021 વિજય રૂપાણીએ રાજીનામું સોંપ્યું

વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે બધાને લાગ્યું કે ચૂંટણી સુધી જ તેમને આ જવાબદારી સોંપાઈ હશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી પોતાનો ગઢ બચાવ્યો હતો.

જોકે છતા ભાજપ દ્વારા વિજય રૂપાણીને જ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરાયા હતા. 11 સપ્ટેમ્બર 2021ના દિવસે વિજય રૂપાણીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ દરમિયાન ઘણી અટકળો લગાવાઈ હતી, ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button