અષાઢી બીજના શુભમુહૂર્તમાં અમદાવાદમાં 5500 ટુ વ્હીલર અને 1020 કારનું વેચાણ થયું…

અમદાવાદ: શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઇ બલદેવજી સાથે નગચર્યાએ નીકળ્યા હતા. અષાઢી બીજ એટલે વણજોયું શુભમુહૂર્ત, આ દિવસે લોકો પોતાના નવા ઘર કે ઓફિસમાં પ્રવેશ કરતાં હોય છે. નવો ધંધો શરૂ કરતા હોય છે કે પછી નવા વાહનો ખરીદતા હોય છે. અષાઢી બીજે લોકોએ શુભ પ્રસંગ માટેની ખરીદી કરતાં બજારોમાં તેજી જોવા મળતી હતી.
અષાઢી બીજે સવારથી જ તમામ કન્ટ્રક્શન સાઇટ, બુકિંગ ઓફિસ અને વાહનોના શો રૂમ પર ભીડ થઇ ગઇ હતી. અષાઢી બીજે માત્ર અમદાવાદમાં જ 5500 ટુ વ્હીલર અને 1020 કારના વેચાણ થયા હતા. ઘણા શો રૂમના સંચાલકોએ તો વિજય મુહૂર્તમાં વાહનની ડિલિવરી મળી જાય તે માટે સામૂહિક ડિલિવરીનું આયોજન કર્યું હતું.
અમદાવાદ સહિત ગુજરાતમાં દર વર્ષે વાહનોના વેચાણમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે જ અષાઢી બીજે અમદાવાદના તમામ શો રૂમ પરથી વાહનોની ડિલિવરી થઇ હતી. ફેડરેશન ઓફ એટોમોબાઇલ ડિલર્સ એસોસિયેશનના ગુજરાતના પ્રમુખ પ્રણવ શાહના મતે દિવસ દરમિયાન અમદાવાદમાંથી બેઝિકથી લઇને હાઇએન્ડ લક્ઝુરિયસ 1020 કારનું વેચાણ થયું હતું. તે ઉપરાંત, 5500 ટુ વ્હીલર વેચાયા હતા. જે આંકડો ગત વર્ષની સરખામણીએ લગભગ યથાવત્ રહ્યો છે. કારના વેચાણમાં દસેક ટકાનો વધારો નોંધાયો હોવાનું વેપારીઓએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રથયાત્રા વાહન ખરીદી માટે એક મુખ્ય મુહૂર્ત છે, ત્યાંથી ડીલરશીપ તહેવારોની ઓફરો ચાલુ કરે છે. ડીલરોના અંદાજ મુજબ, કાર પર ડિસ્કાઉન્ટ મેક અને મોડેલના આધારે ₹20,000 થી ₹1 લાખ સુધીનું હોય છે, જ્યારે ટુ-વ્હીલર ડીલરો ₹5,000 થી ₹10,000 ની તહેવારોની યોજનાઓ ઓફર કરી રહ્યા છે. પરંપરાગત રીતે, અમદાવાદ ગુજરાતભરમાં રથયાત્રાના દિવસે થતા કુલ વાહન વેચાણમાં લગભગ 50% ફાળો આપે છે, જે આ તહેવારને ઓટોમોટિવ બજારમાં છૂટક વલણો માટે એક મહત્વપૂર્ણ બેન્ચમાર્ક બનાવે છે. જોકે, આ વર્ષે માંગમાં થોડો ઘટાડો થતા, ડીલરો આગામી મહિનાઓમાં તેમાં સુધારાની આશા રાખી રહ્યા છે.