અમદાવાદ

સરસપુર મોસાળ ખાતે હવે રથયાત્રા વિરામ લેશે! પ્રસાદ લીધા બાદ નિજ મંદિર પરત ફરશે, જાણો લેટેટ્સ અપેડ્ટસ

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભગવાન શ્રી જગન્નાથ, તેમના ભાઈ અને બહેન સુભદ્રા સરસપુર ખાતે મોસાળમાં રોકાય છે. અમદાવાદના સરસપુર નાની સારવિવાળની પોળ ખાતે સૌથી મોટો ભંડારો ભક્તો માટે તૈયાર કરી દેવામાં આવ્યો છે, અહીં ભક્તો માટે પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પુરી, શાક, ફૂલવડી, બુંદી અને છાસનો પ્રસાદ આપવામાં આવશે

આ દરમિયાન ભંડારામાં પુરી, શાક, ફૂલવડી, બુંદી અને છાસનો પ્રસાદ આપવામાં આવે છે. ભક્તો દ્વારા રથયાત્રાનો પ્રસાદ શહેરના અંધજન મંડળ અને વિવિધ સંસ્થામાં ટિફિન મારફતે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રાના રૂટમાં ભક્તો જય રણછોડ માખણચોરનો નાદ પણ ઉચ્ચારી રહ્યાં છે. સરસપુર ભગવાનનું મોસાળ કહેવાય છે જેથી અહીં રથયાત્રા વિરામ લેશે. ત્યાર બાદ પરત નિજ મંદિર જવા માટે નીકળશે. સરસપુર ખાતે મોસાળમાં ભોજન પ્રસાદ લીધા બાદ રથયાત્રા પરત નિજ મંદિર જવા માટે રવાના છે.

રથાયાત્રામાં ગૂંજ્યો જય રણછોડ માખણચોરનો નાદ

રથયાત્રામાં ભગવાનના ત્રણ રથ સાથે મોટી સંખ્યામાં ભક્તો, હાથી અને ટેબ્લો પણ ચાલી રહ્યાં છે. સરસપુરથી પરત પ્રસ્થાન કર્યા પછી કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર હાઈસ્કુલ, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોકથી નિજ મંદિર પરત ફરશે. રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી છે. જો કે, રસ્તામાં થોડી અડચણનો સામનો કરવો પડ્યો હતો. જમાલપુર દરવાજા પાસે બે ટ્રક ફસાઈ ગઈ હતી. જ્યારે ખાડિયામાં ત્રણ હાથી પણ બેકાબૂ થયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જો કે, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. જેની તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો…પુરીમાં ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા 12 દિવસ સુધી ચાલશે, આ રહ્યું સંપૂર્ણ સમયપત્રક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button