અમદાવાદ

ખેડૂતોના વિરોધ છતાં થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે માટે જમીન સંપાદન શરૂ કરી

અમદાવાદઃ ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, ૧૯૫૬ હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગુજરાતમાં થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે માટે જમીન સંપાદન કરવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરનામું પાટણ જિલ્લાના ઘણા ગામડાઓમાં ફેલાયેલા લગભગ ૪૦ કિમી (કિમી ૫૬.૮ થી કિમી ૯૮.૩) વિસ્તારને આવરી લે છે, જેમાં લોધપુર, કમલીવાડા, માતપુર, રૂવાવી, વિસલ વાસણા, ચરૂપ, કિમ્બુઆ, કોટાવડ, કુંટાવાડા, મોરપા, રાઠવા, રેંચાવી, વડુ, વાગડોદ અને વાયડનો સમાવેશ થાય છે. આ સંપાદનમાં પાટણ અને સરસ્વતી તાલુકાના ઘણા ગામડાઓમાં ફેલાયેલી કૃષિ, બિન-કૃષિ, સરકારી અને સામાન્ય જમીનનો સમાવેશ થાય છે, જે કુલ ૫૫.૫૪ હેક્ટર વિસ્તારને આવરી લે છે.

આ સંપાદન એક્સપ્રેસવેના બાંધકામ, પહોળાઈ, જાળવણી, વ્યવસ્થાપન અને સંચાલન માટે છે, જેમાં પ્રોજેક્ટની જરૂરિયાતોને આધારે બે-લેનવાળા પાકા શોલ્ડર અથવા ચાર-લેનવાળા બાંધકામનો સમાવેશ થઈ શકે છે.

જમીનમાલિકો અથવા રસ ધરાવતા પક્ષો પાસે 8 ડિસેમ્બરથી શરૂ કરી 21 દિવસનો સમય છે, જેમાં તેઓ પોતાનો વિરોધ કે વાંધા નોંધાવી શકે છે. વાંધા લેખિતમાં પાટણ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને, સબમિટ કરવા આવશ્યક છે અને વાંધાના કારણો સ્પષ્ટપણે જણાવવા જોઈએ. તે પછી સત્તાધિકારી વાંધા કરનારાઓને રૂબરૂમાં અથવા કાનૂની પ્રતિનિધિ દ્વારા સાંભળશે. બધા વાંધાઓ અને કોઈપણ વધુ પૂછપરછ પર વિચારણા કર્યા પછી, સત્તાધિકારી અંતિમ આદેશ પસાર કરશે, જે બંધનકર્તા રહેશે, તેમ જાહેરનામામાં જણાવવામા આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે.

આપણ વાંચો:  ટાઈપ-1 ડાયાબિટીસ સામે ગુજરાતનો જંગ, દરેક ગામ સુધી પહોંચશે સારવાર

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button