અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, પશુ પક્ષીઓ પણ ના બચી શકયા

અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે બપોરે ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનમાં 241 લોકોના મોત થયા છે. તેમજ મળતી માહિતી મુજબ વિમાન ક્રેશ સમયે તેમાં આગ લાગી હતી. તેમજ તેમા રહેલા ઈંધનના આગના ગોળામાં પરિવર્તિત થયું હતું. તેમજ ફાયર વિભાગના સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર તે સમયે એર ઇન્ડિયાના વિમાન સ્થળની આસપાસનું તાપમાન લગભગ 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. રાજ્ય આપત્તિ રાહત દળના અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત પછી આસપાસમાં રહેલા કૂતરાઓ અને પક્ષીઓ બળીને મૃત્યુ પામ્યા હતા.

કૂતરાઓ અને પક્ષીઓ બચી શક્યા નથી

એક અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનની અંદર અને આસપાસનું તાપમાન ખૂબ વધી જવાને કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. તેમણે કહ્યું કે સ્થળ પર હાજર કૂતરાઓ અને પક્ષીઓ પણ બચી શક્યા નથી.

વિમાનમાં 1.25 લાખ લીટર ઇંધણ ભરેલું હતું

તમને જણાવી દઈએ કે 242 મુસાફરો અને ક્રૂ સાથે લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે બપોરે અમદાવાદના એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, શહેરના એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પત્રકારોને જણાવ્યું હતું કે, વિમાનની અંદર 1.25 લાખ લિટર ઇંધણ હતું અને તેમાં આગ લાગી ગઈ હતી. તેથી કોઈને બચાવવું અશક્ય હતું.

એસડીઆરએફ કોઈને જીવતા બચાવી શકી નહિ

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના કર્મચારીઓ બપોરે 2 થી 2.30 વાગ્યાની વચ્ચે બીજે મેડિકલ કોલેજના ડોકટરો અને સ્ટાફના હોસ્ટેલ અને રહેણાંક ક્વાર્ટર્સમાં પહોંચ્યા હતા. જ્યાં વિમાન ક્રેશ થયું હતું. આ અગાઉ સ્થાનિક લોકોએ કેટલાક લોકોને જીવતા બચાવ્યા હતા. પરંતુ તેમની ટીમ કોઈને જીવતા બચાવી શકી ન હતી.

પીપીઇ કીટ સાથે આવ્યા હતા પરંતુ તાપમાન વધારે હતું

એક સિનિયર ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, વિમાનની ઇંધણની ટેન્ક ફાટતાની સાથે જ આગની જ્વાળાઓ વધવા લાગી અને તાપમાન 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. આનાથી કોઈના બચવાની શક્યતા ખૂબ ઓછી થઈ ગઈ હતી. એસડીઆરએફના કર્મચારીઓએ કહ્યું કે તેઓએ પહેલા પણ અનેક દુર્ઘટનાનો જોઇ છે. પરંતુ આવી દુર્ઘટના ક્યારેય જોઈ નથી. તેમણે કહ્યું, અમે અહીં પીપીઇ કીટ સાથે આવ્યા હતા. પરંતુ તાપમાન એટલું વધારે હતું કે ઓપરેશન મુશ્કેલ બની ગયું.

આ પણ વાંચો…લંડન જતો ભાવનગરનો ભાવિ ડોક્ટર પ્લેન ક્રેશમાં ભોગ બન્યો, સોસિયા ગામ શોકમગ્ન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button