ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો, ઉઘાડ નીકળતાં ધરતીપુત્રો ખુશ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો, ઉઘાડ નીકળતાં ધરતીપુત્રો ખુશ

અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી ત્રણ થી ચાર દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રાજ્યમાં જોવા મળી શકે છે. જોકે 14 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હાલ ઉઘાડ નીકળતાં ખેડૂતો ખુશ થઈ ગયા છે અને નિંદામણ સહિત દવા છંટકાવનું કામ આરંભી દીધું છે.

સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 107.75 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 135.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.70 ટકા, પૂર્વ મધ્યમાં 110.10 ટકા અને સૌરાષ્ટ્રમાં 93.36 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં 138 ડેમ હાઇ એલર્ટ

નર્મદા ડેમમાં 90.57 ટકા જળસંગ્રહ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 88.11 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 138 ડેમ હાઇ એલર્ટ, 19 ડેમ એલર્ટ અને 13 ડેમ વોર્નિંગ પર છે. આ ઉપરાંત 105 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 65 ડેમ 70 થી 100 ટકા, 16 ડેમ 50 થી 70 ટકા, 10 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 10 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.

જીએસઆરટીસીના કુલ 23 રૂટ બંધ

રાજ્યમાં કુલ 213 રોડ રસ્તા બંધ છે. જેમાં પંચાયત હસ્તકના 177 રોડ, 14 સ્ટેટ હાઈવે, 19 અન્ય માર્ગ તથા 3 નેશનલ હાઇવે સામેલ છે. પાલનપુરના 17, કચ્છના 4, અમદાવાદ અને મહેસાણાના 1-1 મળી જીએસઆરટીસીના કુલ 23 રૂટ બંધ છે.

આ પણ વાંચો…ગુજરાતમાં બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોરઃ રાજ્યમાં 392 રોડ રસ્તા બંધ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button